Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 383

રીતેશ પરમાર

ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે આજે અથવા આવતીકાલે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. 15 ખેલાડીઓની આ ટીમમાં 10 ખેલાડીઓ નિશ્ચીત છે તો બાકીની પાંચ જગ્યા માટે 12 જેટલા ખેલાડીઓ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેો પોતપોતાની ટીમોનું એલાન કરી ચૂક્યા છે અને અન્ય દેશો પણ બે-ત્રણ દિવસમાં પોતપોતાની ટીમની જાહેરાત કરશે.
જે 10 ખેલાડીઓની પસંદગી પાક્કી માનવામાં આવી રહી છે તેમાં રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. જો કે સુંદર હજુ અનફિટ હોવાને કારણે તેની ઈજા પર નજર રખાઈ રહી છે. જ્યારે શિખર ધવન અને પૃથ્વી શો વચ્ચે ઓપનિંગ બેટસમેનને લઈને ટક્કર ચાલી રહી છે. જ્યારે મીડલ ઓર્ડર માટે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રેસમાં છે

ટી-20 ફોર્મેટમાં ઓલરાઉન્ડરોની બોલબાલા રહે છે ત્યારે તેના માટે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનું પસંદ થવું લગભગ નિશ્ચીત છે. જ્યારે અન્ય સ્થાન માટે કૃણાલ પંડ્યા પણ રેસમાં સામેલ થઈ ગયો છે. સ્પીનર માટે યુઝવેન્દ્ર ચહલની પસંદગી નિશ્ચીત મનાય રહી છે જ્યારે અન્ય સ્પીનરોમાં રાહુલ ચાહર અને વરુણ ચક્રવર્તી વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર તરીકે જસપ્રિત બુમરાહની પસંદગી ફાઈનલ છે જ્યારે અન્ય ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્ર્વર કુમાર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ શમી અને ટી.નટરાજનમાંથી કયા કયા બોલરની પસંદગી કરાય છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

ભારતનો ક્યારે કોની સામે મુકાબલો
તારીખ – હરિફ ટીમ
24 ઓક્ટોબર – પાકિસ્તાન
31 ઓક્ટોબર – ન્યુઝીલેન્ડ
3 નવેમ્બર – અફઘાનિસ્તાન
5 નવેમ્બર – ક્વોલિફાય થયેલી ટીમ સામે
8 નવેમ્બર – ક્વોલિફાય થયેલી ટીમ સામે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,

Related posts

મા કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિરઃ 100 કરોડનો ખર્ચઃ 9 વર્ષની અથાગ મહેનત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું કરાશે ભવ્ય સન્માન

Phone: 9998685264.

ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ, PI વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ

Phone: 9998685264.

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Phone: 9998685264.

Leave a Comment