Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Our Visitor

011883
Total Users : 11883
Total views : 13889
Who's Online : 1

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

આજ રોજ માંડવી તાલુકાના માંડવી સુગરના સભાસસદ આગેવાનોની મિટિંગ અરેઠ ગામે કરવામાં આવેલ હતી. તેમાં સરકારે ૨૬૦ કરોડ રૂપિયાની સુગર ફક્ત ૩૬ કરોડમાં વેચી દેતા અને સભાસદોને આ કારણે પાયમાલ થતાં આજથી લડતના મંડાણ શરૂ થયા છે.

આ બેઠકમાં કાંતિભાઈ પટેલે બોલતા જણાવાયું હતું કે આ માંડવી સુગર આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે. આમા પક્ષા પક્ષીઓ ભૂલી જઇ ખેડૂતનું કયા ભલું થાય એ જોવાની જરૂર છે,અને આ સુગર પાછી સભાસદો પાસે આવે એના માટે કાયદાકીય લડત માટે હાઇકકોર્ટ ,સુપ્રીમ કોર્ટ જવું પડે તો સભાસદો ખચકાવવાના નથી . આ સુગર અમે જવા દઇસુ નહીં.

જ્યારે સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકે જણાવ્યું કે સહકારી સુગર ફેક્ટરીઓ નાં સાચા માલિકો ખેડૂત સભાસદો છે. બોર્ડ ને તો ફક્ત વહીવટ કરવા માટે જ મુકાયા હતા . જો વેચવાની બાબત આવે તો સરકારે સુગરના સભાસદોની જનરલ મિટિંગ બોલાવવી પડે અને સભાસદો નક્કી કરે ત્યારે બાદ જ નિર્ણય નક્કી કરવામાં આવે . ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર બધી સહકારી સંસ્થાઓ પર પોતાના પક્ષના જ કાર્યકરોને મેન્ડેટ આપી વહીવટમાં બેસાડે છે તેમની અણઆવડત ને કારણે સહકારી માળખું તૂટી ગયું છે. આ આદિવાસી વિસ્તાર વર્ષોથી સહકારી માળખાઓ રોજગારી આપી રહ્યા છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી એનું નાશ કરવા જઇ રહ્યું છે. જે સુમુલ ડેરીમાં દૂધ જાય છે તેમાં સિહ ફાળો આદિવાસી સમાજનો છે,સહકારી આગેવાનો સારા નિષ્ઠાવાન હોય તો સહકારી સંસ્થા સારી રીતે ચાલે . યુ . પી. એ. ની મનમોહન સિંહજીની સરકારમા સહકારી સંસ્થાઓને કરોડો રૂપિયાની સહાય કરવામાં આવતી હતી. જો ભાજપ સરકાર વ્યારા અને કાંઠા સુગરને પેકેજ આપી શકે તો માંડવી સુગર ને કેમ નહીં ? માંડવી સુગર માટે પણ સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ અને સહકારી ધિરાણે ફરી શરૂ કરવી જોઈએ. આ માટે છોટે સરદારના નામ થી જાણીતા સહકારી આગેવાન ચૂપ થઈ ને કેમ બેઠા છે ? એ પણ સમજ પડતી નથી . છોટા સરદાર નું બિરુદ મળ્યું છે તો સરદાર જેવુ કામ કરો . ખેડૂતોને સાથે રાખી સહકારી માળખું બચાવવા આજ થી બધા ખેડૂત આગેવાનોએ લડતના મંડાળ કરી દીધા છે. હવે કલેકટર ,જીલ્લા રજિસ્ટ્રાર ,સરકાર અને પછી સુગરના ગેટ પર આંદોલન અને આવેદન પત્ર પણ આપશે અને સાથે કાયદાકીય લડત પણ આપવા ખેડૂતો જઇ રહ્યા છે.

આ પ્રસંગે સહકારી આગેવાન દર્શનભાઈ નાયક , કાંતિભાઈ પટેલ ,શંકભાઈ ચોધારી ,સુરેશભાઇ ચોધારી ,કમલેશભાઈ ચોધરી ,જીમી ગામીત ,ફારૂક ભાઈ ,ધીરુભાઈ ,વજીરભાઈ, દિલીપભાઇ મહિદા, કોસંબા થી અંદાજભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.


માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Related posts

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો

Ritesh Parmar

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Ritesh Parmar

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન!સામાજિક સૌહાર્દ અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારો ઝળકાયો,પોલીસ કમિશ્નરે હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યું

Ritesh Parmar

Leave a Comment