Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Our Visitor

561029
Total Users : 561029
Total views : 562400

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

આજ રોજ માંડવી તાલુકાના માંડવી સુગરના સભાસસદ આગેવાનોની મિટિંગ અરેઠ ગામે કરવામાં આવેલ હતી. તેમાં સરકારે ૨૬૦ કરોડ રૂપિયાની સુગર ફક્ત ૩૬ કરોડમાં વેચી દેતા અને સભાસદોને આ કારણે પાયમાલ થતાં આજથી લડતના મંડાણ શરૂ થયા છે.

આ બેઠકમાં કાંતિભાઈ પટેલે બોલતા જણાવાયું હતું કે આ માંડવી સુગર આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે. આમા પક્ષા પક્ષીઓ ભૂલી જઇ ખેડૂતનું કયા ભલું થાય એ જોવાની જરૂર છે,અને આ સુગર પાછી સભાસદો પાસે આવે એના માટે કાયદાકીય લડત માટે હાઇકકોર્ટ ,સુપ્રીમ કોર્ટ જવું પડે તો સભાસદો ખચકાવવાના નથી . આ સુગર અમે જવા દઇસુ નહીં.

જ્યારે સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકે જણાવ્યું કે સહકારી સુગર ફેક્ટરીઓ નાં સાચા માલિકો ખેડૂત સભાસદો છે. બોર્ડ ને તો ફક્ત વહીવટ કરવા માટે જ મુકાયા હતા . જો વેચવાની બાબત આવે તો સરકારે સુગરના સભાસદોની જનરલ મિટિંગ બોલાવવી પડે અને સભાસદો નક્કી કરે ત્યારે બાદ જ નિર્ણય નક્કી કરવામાં આવે . ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર બધી સહકારી સંસ્થાઓ પર પોતાના પક્ષના જ કાર્યકરોને મેન્ડેટ આપી વહીવટમાં બેસાડે છે તેમની અણઆવડત ને કારણે સહકારી માળખું તૂટી ગયું છે. આ આદિવાસી વિસ્તાર વર્ષોથી સહકારી માળખાઓ રોજગારી આપી રહ્યા છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી એનું નાશ કરવા જઇ રહ્યું છે. જે સુમુલ ડેરીમાં દૂધ જાય છે તેમાં સિહ ફાળો આદિવાસી સમાજનો છે,સહકારી આગેવાનો સારા નિષ્ઠાવાન હોય તો સહકારી સંસ્થા સારી રીતે ચાલે . યુ . પી. એ. ની મનમોહન સિંહજીની સરકારમા સહકારી સંસ્થાઓને કરોડો રૂપિયાની સહાય કરવામાં આવતી હતી. જો ભાજપ સરકાર વ્યારા અને કાંઠા સુગરને પેકેજ આપી શકે તો માંડવી સુગર ને કેમ નહીં ? માંડવી સુગર માટે પણ સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ અને સહકારી ધિરાણે ફરી શરૂ કરવી જોઈએ. આ માટે છોટે સરદારના નામ થી જાણીતા સહકારી આગેવાન ચૂપ થઈ ને કેમ બેઠા છે ? એ પણ સમજ પડતી નથી . છોટા સરદાર નું બિરુદ મળ્યું છે તો સરદાર જેવુ કામ કરો . ખેડૂતોને સાથે રાખી સહકારી માળખું બચાવવા આજ થી બધા ખેડૂત આગેવાનોએ લડતના મંડાળ કરી દીધા છે. હવે કલેકટર ,જીલ્લા રજિસ્ટ્રાર ,સરકાર અને પછી સુગરના ગેટ પર આંદોલન અને આવેદન પત્ર પણ આપશે અને સાથે કાયદાકીય લડત પણ આપવા ખેડૂતો જઇ રહ્યા છે.

આ પ્રસંગે સહકારી આગેવાન દર્શનભાઈ નાયક , કાંતિભાઈ પટેલ ,શંકભાઈ ચોધારી ,સુરેશભાઇ ચોધારી ,કમલેશભાઈ ચોધરી ,જીમી ગામીત ,ફારૂક ભાઈ ,ધીરુભાઈ ,વજીરભાઈ, દિલીપભાઇ મહિદા, કોસંબા થી અંદાજભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Related posts

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા,જુઓ મહાત્મા ગાંધીના જીવન ચરિત્રની લેખા જોખા

Phone: 9998685264.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Phone: 9998685264.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, તાલુકા કાલોલ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

Phone: 9998685264.

Leave a Comment