
પી.આઈ. એ માફી માંગતા કોર્ટે ફરીવાર આવી ભૂલના થાય તે શરતે કોઈ કાર્યવાહી ના કરી
અમદાવાદ.2 નવેમ્બર
સરદારનગર પોલીસ છેલ્લા ઘણા સમયથી દેશી વિદેશી દારૂની હેરાફેરી અને જુગારધામના ધમધમી રહ્યા અડ્ડાઓને લઇ વિવાદમાં છે.હાલમાંજ સરદારનગર વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓનું સ્ટિંગ ઓપરેશન કરી પ્રસિદ્ધ મીડિયાએ સરદારનગર પોલીસને ખુલ્લી પાડી દીધી હતી. તેમ છતાં સેક્ટર 2 અને ઝોન 4 ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓએ કોઈ તસ્દી લીધી ન હતી.ત્યારે વધુ એક દારૂના કેસમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દરજી એક વિવાદમાં ફસાયા હતા.નાસતા ફરતા આરોપીનો પોલીસે ટ્રાન્સફર વોરન્ટ થી કબજો લીધો હતો.પી.એસ આઇ દરજીએ આરોપીને ત્રણ ગુનામાં અટક કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.આ મામલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડીયાએ નારાજગી વ્યક્ત કરી હતી.PSI વિરુદ્ધ ગેર કાયદેસર અટકાયતની ફરિયાદ કરવા પી.આઇ ને હાજર કરવા આદેશ કરતા પી.આઇ. કોર્ટ સમક્ષ હાજર થઇ બિનશરતી માફી માંગી હતી.
બનાવની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગોવિંદ ઉર્ફે પીળીયો ઠાકોર નાસતો ફરતો હતો.PSI આર. પી.દરજીએ ટ્રાન્સફર વોરન્ટ થી વિદેશી દારૂના કેસમાં ધરપકડ કરી હતી.પોલીસે એક કેસમાં આરોપીને રજૂ કરવાના બદલે પેન્ડિંગ વધુ બે ગુનામાં પણ રજૂ કર્યા હતા.આ મામલે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી.આરોપીની કસ્ટડી કોર્ટની પાસે છે.ત્યારે જે કેસની કસ્ટડી લીધી હોય તે કેસ સિવાય બીજા કેસમાં કોર્ટની પરવાનગી સિવાય અન્ય કાર્યવાહી કરી શકાય નહીં.તપાસ અધિકારી સામે ગેર કાયદેસર અટકાયતની કેમ ફરિયાદ ના લેવી તેનો ખુલાસો આપવા આદેશ કર્યો હતો.પરંતુ પી એસ આઇ દરજી કોઈ ખુલાસો આપી શક્યા નહી.અંતે કોર્ટે પીઆઇને તાબડતોડ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યો અને એ.સી ચેમ્બરમાં બેસી રહેતા પી આઈ સોલંકી ને તેમનો લશ્કર ક્યાં લડી રહ્યો છે તેની જાણ તેમને હોવી જોઈએ.એક તબક્કે તો કોર્ટે PSI ને કસ્ટડીમાં લેવા પણ કડક વલણ અપનાવ્યો .આખરે બે કલાક બાદ પી.આઈ. એમ એમ સોલંકી કોર્ટમાં હાજર થયા હતા.પી.આઇ. એ ભવિષ્યમાં આવી ભૂલ ના થાઈ તેની માફી માંગી હતી.અંતે કોર્ટે પી એસ આઇ ને ફરી આવી ભૂલ નહિ કરવાની શરતે જવા દીધા હતા.





Total Users : 25
Total views : 93
Who's Online : 0