Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 309

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વલસાડ(ગુજરાત): આજકાલ આખલા(Bull)નો ત્રાસ ઘણો વધી ગયો છે. જેનો ભોગ ઘણા લોકો બને છે. આ દરમિયાન, જિલ્લાના હનુમાન ભાગડા(Hanuman Bhagda) ગામમાં આખલાએ તાંડવ મચાવતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. તોફાને ચડેલો આખલો બે દિવસથી હનુમાન ભાગડા ગામમાં આતંક મચાવી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, પશુઓ(animals), રાહદારીઓ સહિત અનેક લોકોને અડફેટમાં લીધા હતા.
આખલાએ મચાવેલા આતંકને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે, વલસાડ(valsad)ની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમ(Agniveer Gau Seva team) દ્વારા આ તોફાની આખલાને પકડી અને બાંધી દેવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકાના હનુમાનભાગડા ગામમાં છેલ્લા બે દિવસથી એક આખલો તોફાને ચડ્યો હતો. આ આખલાએ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો. આ તોફાની આખલાએ શ્વાન, રાહદારીઓ અને અન્ય પશુઓને પણ અડફેટે લીધા હતા. આ ઉપરાંત, કેટલીક જગ્યાએ ઘરના બારણામાં પાર્ક કરેલી બાઇક, મોટરકારને પણ નુકસાન પહોચાડ્યું હતું.
છેલ્લા બે દિવસથી આખલાએ મચાવેલા તોફાનને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આથી, ગામના સરપંચ દ્વારા જિલ્લા ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓને જાણકારી હતી. માણસો મોકલવાની વાતો કર્યા બાદ કલાકો સુધી કોઈને પણ મોકલવામાં આવ્યા ન હતા.

જોકે, આ ઘટના અંગે વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ હડકાયેલા આખલાનું હેમખેમ રેસ્ક્યુ કરી પકડીને બાંધી દેવામાં આવ્યો હતો. આમ, બે દિવસ સુધી તોફાને ચડેલા આખલાએ ગામમાં આતંક મચાવ્યો હતો. આથી લોકો ઘરની બહાર નીકળતા કે રસ્તા પરથી પસાર થતા ડર અનુભવતા હતા. જોકે, આખરે જીવ દયા સંસ્થાના કાર્યકરોએ આ તોફાની આખલાને પકડી પાડતાં ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

Related posts

પવિત્ર અને સુપ્રસિદ્ધ યાત્રા ધામ માતા વૈષ્ણોદેવી તીર્થંધામમાં નાસભાગ મચતા 12 લોકોના દુઃખદ મોત, ભારે ભીડના કારણે થઈ મોટી દુર્ઘટના, પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Phone: 9998685264.

સ્માર્ટ સિટી અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો, મહિલાઓની સુરક્ષા મજબૂત બનશે

Phone: 9998685264.

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

Phone: 9998685264.

Leave a Comment