
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
આજની કેબિનેટ મિટિંગમાં રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજીયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરાયો છે.શિક્ષણ મંત્રીએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહી કરવાનો હુંકાર કર્યો હતો.તેના 24 કલાકમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પીછેહઠ કરી છે. મહત્વનું છે કે,શિક્ષકોને ફરજીયાત રીતે સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. જેનો સખત વિરોધ થતાં તાત્કાલિક અસરે નિર્ણય બદલવા ફરજ પડી છે.




Total Users : 25
Total views : 93
Who's Online : 0