
રીતેશ પરમાર
ભારતે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવી છે.
આ પહેલા, પ્રથમ અને છેલ્લી વખત ભારતે 1971મા આ મેદાન પર ટેસ્ટ મેચ જીતી હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.ભારતે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવી છે.
આ પહેલા, પ્રથમ અને છેલ્લી વખત ભારતે 1971મા આ મેદાન પર ટેસ્ટ મેચ જીતી હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.
ઇન્ડિયા ટીમની આ જીતમાં ઉમેશ યાદવે ત્રણ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ બે -બે વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ બીજા દાવમાં 466 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મા (127) એ સદી ફટકારી હતી. આ સિવાય ચેતેશ્વર પૂજારા (61), શાર્દુલ ઠાકુર (60) અને વૃષભ પંતે શાનદાર અડધી સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મોઇન અલી અને ઓલી રોબિન્સને બે -બે વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતનો પ્રથમ દાવ 191 રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 290 રન બનાવ્યા હતા. આ રીતે, પ્રથમ દાવના આધારે યજમાન ટીમને 99 રનની લીડ મળી હતી.
ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હવે અહીંથી ઈન્ડિયા સિરીઝ હારી શકશે નહીં.
ચોથી ટેસ્ટ મેચમાં વળતો પ્રહાર કરી ઈન્ડિયાએ છેલ્લા દિવસે કમાલ કરી હતી. ઈન્ડિયન બોલર્સે 120 રનમાં ઇંગ્લેન્ડની દસેય વિકેટ પાડીને મેચને 157 રનથી જીતી લીધી હતી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0