Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કલોલ / વ્યાજના દુષણનો અંત આખરે ક્યારે આવશે, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાત કર્યો, પરિવારમાં માતમ,

કલોલ / વ્યાજના દુષણનો અંત આખરે ક્યારે આવશે, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાત કર્યો, પરિવારમાં માતમ,

Our Visitor

009751
Total Users : 9751
Total views : 11415
Who's Online : 0

કલોલ / વ્યાજના દુષણનો અંત આખરે ક્યારે આવશે, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાત કર્યો, પરિવારમાં માતમ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

*કલોલના વેપારીએ કરી આત્મહત્યા
વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યુ
*3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા
*કલોલના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે, આ વેપારીએ વ્યાજખોરો પાસેથી 8 ટકાના વ્યાજે રૂપિયા 3 લાખ લીધા હતા જે ભરપાઈ ન કરી શકતા વેપારીએ આપઘાત કરી લેતા પરિવાજનોમાં મોતનો માતમ છવાઈ ગયો છે.
વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યુ

કલોલના વેપારી પ્રતિક પિત્રોડા વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરી શકતા ઝેરી પદાર્થ ઘટઘટાવી આપઘાત કરી લીધો છે, આપઘાત કર્યા પહેલા વેપારી પ્રતિક પિત્રોડાએ દીકરીને કોલ કરીને જાણ કરી હતી કે વેપારીએ હળવદના જીતુ પટેલ પાસેથી 3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા અને વામજના સુરેશ પટેલ પાસેથી 1.70 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા જે પરત ન કરી શકતા વ્યાજખોરો દ્વારા ત્રાસ આપતા હોવાનું જણાવીને આપઘાત કરી લીધો હતો. જો કે સમગ્ર મામલે કલોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા

મહત્વનું છે રાજ્યમાં વ્યાજખોરીનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે વ્યાજખોરો ગરીબોને પોતાનો ટાર્ગેટ બનાવે છે અને તેમની પાસેથી ઉંચુ વ્યાજ વસુલવામાં આવે છે. ત્યારે કલોકના વેપારીએ વ્યાજખોરના ત્રાસને કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.


કલોલ / વ્યાજના દુષણનો અંત આખરે ક્યારે આવશે, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાત કર્યો, પરિવારમાં માતમ,

Related posts

SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ ) પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ -ભુજ જિલ્લા ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું, આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી

Ritesh Parmar

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Ritesh Parmar

શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021-22 માં 5.25 કરોડનો દારૂ ઝડપાયો, 1 લાખથી વધુ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી કરોડોની દારૂનો નાશ કરાયો

Ritesh Parmar

Leave a Comment