
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
*કલોલના વેપારીએ કરી આત્મહત્યા
વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યુ
*3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા
*કલોલના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે, આ વેપારીએ વ્યાજખોરો પાસેથી 8 ટકાના વ્યાજે રૂપિયા 3 લાખ લીધા હતા જે ભરપાઈ ન કરી શકતા વેપારીએ આપઘાત કરી લેતા પરિવાજનોમાં મોતનો માતમ છવાઈ ગયો છે.
વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યુ
કલોલના વેપારી પ્રતિક પિત્રોડા વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરી શકતા ઝેરી પદાર્થ ઘટઘટાવી આપઘાત કરી લીધો છે, આપઘાત કર્યા પહેલા વેપારી પ્રતિક પિત્રોડાએ દીકરીને કોલ કરીને જાણ કરી હતી કે વેપારીએ હળવદના જીતુ પટેલ પાસેથી 3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા અને વામજના સુરેશ પટેલ પાસેથી 1.70 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા જે પરત ન કરી શકતા વ્યાજખોરો દ્વારા ત્રાસ આપતા હોવાનું જણાવીને આપઘાત કરી લીધો હતો. જો કે સમગ્ર મામલે કલોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા
મહત્વનું છે રાજ્યમાં વ્યાજખોરીનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે વ્યાજખોરો ગરીબોને પોતાનો ટાર્ગેટ બનાવે છે અને તેમની પાસેથી ઉંચુ વ્યાજ વસુલવામાં આવે છે. ત્યારે કલોકના વેપારીએ વ્યાજખોરના ત્રાસને કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.







Total Users : 9751
Total views : 11415
Who's Online : 0