Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસ બ્રિજ નામ આપવા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું.

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2162

છેલ્લા ઘણા સમયથી અમદાવાદના નરોડા ખાતેના રેલવે ઓવરબ્રિજના નામાંકરણને લઈ વિવાદ વકર્યો છે. જેમાં એક તરફ સિંધી સમાજ દ્વારા પોતાના સંત મહારાજના નામે બ્રિજનું નામ રાખવા રજુઆત કરાઈ છે. તો બીજીતરફ બ્રિજ ની આસપાસ દલિત સમાજની વસ્તી હોવાથી દલિત સમાજના લોકો પણ નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસના નામ થી શરુ કરવા માટે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. દલિત સમાજના આગેવાનો દ્વારા આજે નરોડા બ્રિજ પાસે મોટી સંખ્યામાં હાજર રહી ભારે વિરોધ કર્યો હતો. અને જો તેમની આ માંગણી સ્વીકારવામાં ના આવે તો મોટો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આજના આ કાર્યક્રમમાં દેખાવો અને પ્રદર્શન કરનાર દલિત સમાજના ઉપસ્થિત આગેવાનોએ સંત શિરોમણી રોહિદાસને યાદ કરી જણાવ્યું હતું કે જે સંત દ્વારા સમાજમાં એકતાની સ્થાપના કરી અને જાતિના વાડા તોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા એવા સંત શિરોમણી રોહિદાસજીનું નામ નરોડા બ્રિજની આસપાસ દલિત સમાજની વસ્તી હોવા છતાં અને અસંખ્ય વાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં એને અવગણવામાં આવતા આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) દ્વારા મુલાકાત કરીને સ્થાનિકો દ્વારા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું. જેમાં ટીમ તરફથી એડવોકેટ સુબોધ કુમુદ, કમલેશ કટારીયા, પ્રકાશ મકવાણા, નિલેશ મકવાણા, વૃશિક સોલંકી કાર્તિક ભાઈ, બેલાબેન, ઉર્મિલાબેન ધર્મિષ્ઠાબેન સહિતના પ્રતિનિધિઓ હાજર રહયા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

<em>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસ બ્રિજ નામ આપવા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું.</em>

Related posts

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Phone: 9998685264.

ઓલપાડ પોલીસે મોટો કૌભાંડ ઝડપી પાડ્યો! બ્રાન્ડેડ કંપનીના નામે બનાવી રહ્યા હતા ડુપ્લીકેટ માલ સામાન, મુખ્ય સૂત્રધાર સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Phone: 9998685264.

અધિક માસ અને શ્રાવણને લઈને દશામાંની સ્થાપના ક્યારે કરવી તેને લઈને ભક્તોમાં ઉત્પન્ન થઈ અસમંજસ! સાચો ઉપાય બતાવી રહ્યા છે જ્યોતિષ આચાર્ય પાર્થ ભટ્ટ

Phone: 9998685264.

1 comment

Avatar
R C Desai May 29, 2022 at 6:41 am

I support movement for Saint Rohidas…

Reply

Leave a Comment