Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લીંબડી -અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પદયાત્રી સહીત 2 લોકોના મોત, 2 ગંભીર,

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 295

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

લીંબડી-અમદાવાદ હાઈવે પર ગત મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર કાનપરા ગામના પાટીયા પાસે 30થી વધુ મુસાફરો ભરેલી ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આમ આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નીપજ્યાં છે. અકસ્માતમાં બે લોકોને ગંભીર પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બનાવના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા કરણપુર ગામના પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. માઇ ભક્તો પગપાળા અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરીને ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બાયડ-કપડવંજ હાઇવે પર બોરલ ગામ નજીક લક્ઝરી બસ યમદૂત બનીને ત્રાટકી હતી.

લક્ઝરી બસે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી ગઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરમાં સવાર એક પદયાત્રી કિરણભાઇ રાયસંગભાઇ બારીયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લીંબડી -અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પદયાત્રી સહીત 2 લોકોના મોત, 2 ગંભીર,

Related posts

નિરામય દિવસ ના રોજ બેલમપર PHC દ્વારા બગદાણા પોલીસ સ્ટેશન માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Phone: 9998685264.

ગુજરાત હાઇકોર્ટે પર્યુષણ પર જૈન તહેવાર દરમિયાન અમદાવાદમાં કતલખાનાને બંધ રાખવાને પડકારતી AMC ની અરજીને ફગાવી દીધી

Phone: 9998685264.

પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો! પોલીસકર્મી તેની પત્ની અને પરિવારજનો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

Phone: 9998685264.

Leave a Comment