Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

Our Visitor

009767
Total Users : 9767
Total views : 11433
Who's Online : 0

તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

તાપી જિલ્લાની ઉચ્છલ સબ જેલમાંથી આરોપી નાસી છૂટતા ચકચાર મચી ગઈ છે. આરોપીને શૌચક્રિયા માટે બહાર કાઢ્યા બાદ પોલીસકર્મી ચા પીવા ગયો હતો તે સમયે લાગ જોઈને આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ગત 10મી ઓગસ્ટના રોજ ગેરકાયદે પશુની હેરફેર કરતાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરનો રફીક શેખ અલ્લારખા શેખ પકડાયો હતો.
જેને 11મી ઓગસ્ટના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ઉચ્છલ સબ જેલમાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઉચ્છલ સબજેલના જેલર પ્રહલાદ ગણેશ ચૌધરીએ આપેલી ફરિયાદ મુજબ સોમવારના રોજ સવારે સાતેક વાગ્યે પુરુષ બેરેકમાંથી આરોપી રફીક શેખને ગાર્ડ ઇન્ચાર્જ ASI મનહર ભીમરાવએ બંધ લોબીમાં આવેલા શૌચાલયમાં શૌચક્રિયા માટે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ASI સ્લાઇડિંગ દરવાજાને તાળું મારી ચા પીવા માટે જતો રહ્યો હતો. આ દરમ્યાન આરોપી રફીક શેખે લાગ જોઈને સ્લાઇડિંગ મુખ્ય દરવાજાને નીચેના ભાગથી જગ્યા કરી નાસી છૂટ્યો હતો. નાસી છૂટનાર આરોપીનો ત્યાં હાજર GRD હેમંત ભરત કોટવાળિયાએ પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પકડાય શક્યો ન હતો. પોલીસે એચએએલ આઇપીસી 224 હેઠળ ગુનો નોંધી રફીક શેખની શોધખોળ શરૂ કરી છે.


તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

Related posts

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Ritesh Parmar

જૂનાગઢમાં કેદીઓને લઈ જતી પોલીસ બસમાંથી LCB એ 23 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડી, MT શાખામાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ

Ritesh Parmar

ડેરા સચ્ચા સૌદાના 74માં સ્થાપના મહિનાની ઉજવણી માનવતાવાદી કાર્યો કરીને કરાઈ,અનુયાયીઓ દ્વારા સેવાકીય કાર્યો કરાયા,આધ્યાત્મિક સ્થાપના મહિનો અમદાવાદમાં નિર્દોષ પક્ષીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો,ગરીબ લોકોને અનાજની કીટનો વિતરણ કરાયો

Ritesh Parmar

Leave a Comment