Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સેલવાસ/ હિન્દૂ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના, શિવમંદિર તોડી દારૂની દુકાન ઉભી કરાશે, પોલીસ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ,

સેલવાસ/ હિન્દૂ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના, શિવમંદિર તોડી દારૂની દુકાન ઉભી કરાશે, પોલીસ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ,

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

સેલવાસ/ હિન્દૂ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના, શિવમંદિર તોડી દારૂની દુકાન ઉભી કરાશે, પોલીસ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સેલવાસના મુખ્ય વિહાર રોડ પર તોડી પાડવામાં આવેલા શિવાલયનો વિવાદ દિનપ્રતિદિન વકરી રહ્યો છે. આબકારી વિભાગ, પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ભાવિક ભક્તોએ સ્થળ પર પહોંચી શિવલિંગની સ્થાપના કરવા જતાં પોલીસે અટકાવ્યા હતા જેથી મામલો વધુબિચકાયો છે.
દારૂની દુકાન માટે પૂજા સ્થળ તોડી પાડવામાં આવ્યું ?

બનાવની વિગત મુજબ, સેલવાસના મુખ્ય વિહાર રોડ પર નાનું એવું શિવાલય પણ આસ્થાનું મોટું કેન્દ્રબિંદુ એવું મહાદેવનું મંદિર આવેલું છે. જેને થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા તોડી પડાતા ભકતોમાં રોષ ભભૂકયો છે. વિખરાયેલી શિવ મૂર્તિ નજીકના જળાશયમાં પાણીની બહાર જોવા મળી હતી. આ પછી, શિવાલયને તોડી પાડનારાઓએ દાવો કર્યો કે અમે મૂર્તિને શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કર્યું છે.

શિવ મંદિરને તોડી પાડવાની નિંદા કરતા વીએચપી અને અન્ય ઘણી સંસ્થાઓએ વહીવટીતંત્ર સમક્ષ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે નજીકની દારૂની દુકાનનું લાયસન્સ રિન્યૂ કરવા માટે પૂજા સ્થળ તોડી પાડવામાં આવ્યું છે. આ બનાવમાં આબકારી વિભાગની મૌન સંમતિ છે.

વિશ્વ હિન્દુ પરિષદ- સેલવાસના આગેવાનો અને કાર્યકર્તાઓએ શિવની મૂર્તિ લઈને સ્થળ પર સ્થાપિત કરવાની કોશિશ કરી. આ વાતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વીએચપીના કાર્યકરોને મુર્તિ સ્થાપના કરવાથી અટકાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યુ કે શિવ મૂર્તિ સ્થાપિત કરવા તેમજ તોડી પાડવામાં આવેલા શિવાલયના પુન: નિર્માણ અને પ્રતિમાના સ્થાપનમાં પોલીસ-વહીવટીતંત્રએ કાયદાકીય રીતે સહકાર આપવો જોઈએ. પરંતુ તેઓએ અમને રોક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો શિવાલય કોઈની ખાનગી મિલકત પર બાંધવામાં આવે તો પણ તેને દારૂની દુકાન ચલાવવા માટે તોડી પાડવાની મંજૂરી આપી શકાતી નથી. પણ આમાં આબકારી વિભાગની મૌન સહમતી જણાઈ રહી છે.


સેલવાસ/ હિન્દૂ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના, શિવમંદિર તોડી દારૂની દુકાન ઉભી કરાશે, પોલીસ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ,

Related posts

વાસદ બગોદરા હાઈવે પરથી બાઈક ઉપર પસાર થતાં દંપતીને બેફામ રીતે હંકારી રહેલા કાર ચાલકે ટક્કર મારી, બંનેના કરુણ મોત

Phone: 9998685264.

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Phone: 9998685264.

ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

Phone: 9998685264.

Leave a Comment