Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહેમદાવાદ ગામમાં ઉતરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે મોરચો સંભાળ્યો

મહેમદાવાદ ગામમાં ઉતરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે મોરચો સંભાળ્યો

Our Visitor

009761
Total Users : 9761
Total views : 11425
Who's Online : 2

મહેમદાવાદ ગામમાં ઉતરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે મોરચો સંભાળ્યો

ખેડા જિલ્લાના મહેમદાવાદ ગામમાં આવેલ ઢાંકણીવાળ વિસ્તારમાં રહેતા બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા તેમજ પતંગના પેજ કાપવાની બાબત ને લઈને પ્રથમ તો સામસામે અપશબ્દો સાથે શાબ્દિક ઉગ્ર બોલાચાલી બાદ માં બંને જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી.
આ અથડામણ ની ઘટનામાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સામસામે હાથાપાઈ પર આવી જતા અથડામણ નો મામલો ઉગ્ર બન્યો હતો.

ઘટના ની જાણ સ્થાનિક મહેમદાવાદ પોલીસ સ્ટેશનના P.I રણજીત ખાંટ ને થતા તેમજ ઘટના ની ગંભીરતા સમજતા મહેમદાવાદ P.I પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનામાં વણસે કે વધુ ઉગ્ર બને એ પહેલાં પરિસ્થિતિ કાબુ કરવામાં આવી હતી અને બંને સમાજ ના ટોળા ને વેરવિખેર કરવામાં આવ્યા હતા.

હાલમાં મહેમદાવાદ ગામમાં બનેલ ઘટના વાળા વિસ્તારમાં સ્થાનિક પોલીસે પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધેલ છે. અને આગળ ઘટના અન્ય કોઈ સ્વરૂપ ન ધારણ કરે એની તકેદારી રૂપે ગામ ના દરેક વિસ્તારમાં ખાસ નજર રાખી રહી છે જે નોંધનીય છે.

છેલ્લી મળતી માહિતી મુજબ આ જૂથ અથડામણની ઘટનામાં કેટલાક ઈસમો સામાન્ય ઇજાગ્રસ્ત થયેલ છે અને ઘાયલો ને સારવાર અર્થે મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાંથી તેઓને જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.


મહેમદાવાદ ગામમાં ઉતરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે મોરચો સંભાળ્યો

Related posts

ગુજરાત પોલીસની કામગીરી ઉપર ધ્યાન રાખવા ખાસ મોનીટરીંગ સેલ બનાવાશે, ડ્રગ્સ માફિયા, બુટલેગરો અને ગુંડાઓ સાથે મીલીભગત કરનાર પોલીસ સાવધાન થઈ જજો? આખે આખુ પોલીસ સ્ટેશન સ્ટાફ,ઉચ્ચ અધિકારીઓ,PI, PSI, બદલી નાખવામાં આવશે

Ritesh Parmar

રાજકોટ / જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો! લોધીકા પોલીસ અને સ્થાનિક બુટલેગર દ્વારા માર મરાયાનો આક્ષેપ?

Ritesh Parmar

ભાજપે 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સામે માત્ર જુઠાણું ચલાવ્યું! હવે પ્રજા જાગૃત બની ગઈ છે, સુરતના ઓલપાડમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી કોંગ્રેસની જીતનો દાવો કરતા :દર્શન નાયક:

Ritesh Parmar

Leave a Comment