Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Our Visitor

009923
Total Users : 9923
Total views : 11611
Who's Online : 1

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

ગુજરાત રાજ્યભરમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. તેમજ રાજ્યમાં ગઈકાલે વરસાદથી ૮ લોકોના મોત થયા છે. તથા ૨૪ કલાકમાં ૧૫ પશુઓ મોતને ભેટ્યા છે. તેમજ પંચાયત હસ્તકના ૧૦૬ રોડ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ તાપી જીલ્લામાં ૫૭ રોડ બંધ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં ૨૨, સુરતમાં ૧૭ રોડ બંધ થયા છે. સાથે જ વલસાડમાં ૭, કચ્છ જિલ્લામાં ૧ રોડ બંધ છે.

બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં ૧-૧ રોડ બંધ છે તથા ખેડાના ૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સુરેન્દ્રનગરના ચુડાના ૬ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ પોરબંદરના ૩ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સાથે જ ગીર સોમનાથના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
રાજ્યમા વરસાદના કારણે ગઈકાલે એક જ દિવસમાં ૮ લોકોના મોત થયા છે. તેમાં ૨૧ લોકોને નાની મોટી ઇજા થઈ છે. તથા રાજ્યમાં ૧૩ ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યમાં વરસાદના કારણે ૧૦૬ રોડ રસ્તા બંધ થયા છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે. ૧ જૂલાઈના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. પવનની ગતિ ૪૦-૪૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.


ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Related posts

આશારામ બાપુને મળવા યુવતી પોલીસ સિક્યુરિટીને ચકમો આપી હોસ્પિટલમાં ઘુસી ગઈ, કહ્યું બાપુ ઉપર કોઈને દયા નથી આવતી,

Ritesh Parmar

અરે આ શુ છે ભાઈ લુખ્ખાઓના હાથની કઠપૂતળી બનતું જઈ રહ્યુ છે સુરત! સુરતમાં લુખ્ખા તત્વોની ભાઈગીરી વધી….ખુલ્લી તલવારો લઈને રસ્તા નીકળી પડ્યા, જુઓ વિડીયો

Ritesh Parmar

વડોદરા /વઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામમાં મધરાત્રે પતિએ પત્નીના ગળામાં ચાકૂનો ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો મામલો! નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Ritesh Parmar

Leave a Comment