Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નરોડા રમખાણ હત્યાંકાંડમાં છોડી મુકાયેલા 67 લોકો સામે હાઇકોર્ટમાં ઘા નાખશે એસઆઈટી

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2698

આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને ભરોસાપાત્ર પુરાવા રેકોર્ડ પર મૂક્યાનો એસઆઈટીનો મત

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ગયા અઠવાડિયે 2002ના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવેલા નિર્ણયને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારવાની તૈયારી કરી રહી છે તેવું ટોચના સૂત્રોએ જણાવ્યું છે.

એસઆઈટીના સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સી નિશ્ચિતપણે માને છે કે તેણે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત, ભરોસાપાત્ર અને અકાટ્ય પુરાવા રેકોર્ડ પર મૂક્યા છે.ગુરુવારે વિશેષ એસઆઈટી કોર્ટે આ કેસમાં તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પછી એસઆઈટી હવે ચુકાદાની તપાસ કર્યા પછી નિર્દોષ છૂટકારો સામે હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવા માટે તૈયાર છે, જેની નકલની રાહ જોવાઈ રહી છે.આ કેસમાં 28 ફેબ્રુઆરી, 2002ના રોજ હિંસક ટોળાએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગ ચાંપી હતી, જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કારસેવકોએ ગોધરા રેલ્વે સ્ટેશન પાસે જીવ ગુમાવ્યાના એક દિવસ બાદ 11 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી.નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દાખલ કરાયેલી અરજીને પગલે સુપ્રીમ કોર્ટે જઈંઝની રચના કરી હતી, જેને નરોડા ગામ હત્યાકાંડ કેસ સહિત નવ રમખાણોના કેસોની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

એસઆઈટી એક્શનમાં આવ્યા પછી તત્કાલિન મંત્રી માયા કોડનાની, વીએચપીના ભૂતપૂર્વ મહાસચિવ જયદીપ પટેલ અને અન્ય કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 12 જુદા જુદા આરોપો વચ્ચે હત્યા, ગુનાહિત કાવતરું, રમખાણો અને આગચંપી જેવા આરોપો હેઠળ ટ્રાયલ ચલાવવામાં આવી હતી. .એસઆઈટીએ 2008માં ગુજરાત પોલીસ પાસેથી તપાસ સંભાળ્યા બાદ વધુ 37 લોકોની ધરપકડ કરી હતી.એસઆઈટીના વકીલોએ 187 સાક્ષીઓને તપાસ્યા, જ્યારે આરોપીઓએ આ કેસમાં તેમના બચાવમાં 58 સાક્ષીઓને તપાસ્યા હતા. 14 વર્ષના લાંબા ટ્રાયલ પછી વિશેષ ન્યાયાધીશ એસ કે બક્ષીએ કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી અને પટેલ સહિત તમામ 67 આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નરોડા રમખાણ હત્યાંકાંડમાં છોડી મુકાયેલા 67 લોકો સામે હાઇકોર્ટમાં ઘા નાખશે એસઆઈટી

Related posts

હવે તો માર્ચમાં વાઈબ્રન્ટ પૂર્ણ થયા બાદ IAS, IPS ની બદલીઓ થાય તેવી શક્યતા? બજેટ, ઇલેકશન, વાઈબ્રન્ટ હોય શકે છે બદલીઓ મુલતવી રાખવાનું કારણ!

Phone: 9998685264.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Phone: 9998685264.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચોકાવનારો નિવેદન, કહ્યું ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે? અમેરિકાની નવી સરકાર નબળી

Phone: 9998685264.

Leave a Comment