Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2217

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આજે કતારગામમાં આવેલા RJD બિઝનેસ હબમાં એક વેપારીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના સામે આવતા કતારગામ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારના લલીતા ચોકડી પાસે આવેલ કન્તારેશ્વર સોસાયટીના રહેવાસી પ્રવીણ કુંભાણીએ આપઘાત કરી લીધો છે જેની સ્યૂસાઇડ નોટ પણ સામે આવી છે.
પ્રવીણ કુંભાણીના ફેસબુક એકાઉન્ટ પર આ આખી સ્યૂસાઇડ નોટ અપલોડ કરવામાં આવી છે. જે સ્યૂસાઇડ નોટમાં આપઘાત કરનાર વ્યક્તિ દ્વારા ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને સંબોધીને લખાણ લખવામાં આવ્યું છે.

આ સ્યૂસાઇડ નોટમાં આપઘાત કરનાર વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું છે કે, હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા. એ લોકો મને મારા પૈસા પરત આપી રહ્યા નથી. એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે, એટલે મેં આ પગલું ભર્યું છે.

મેં વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે, આ લોકોને ભરવા માટે કંઈ નથી. મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે. હું બધાના નામ લખું છું, આ બધાને લીધે હું આવું કરવા માટે મજબુર થયો છું. આ લોકોએ મને બવ હેરાન કર્યો છે.

સ્યૂસાઇડ નોટમાં આગળ લખ્યું છે કે, જે લોકો મારા પરિવારને હેરાન કરશે તો મોતનું કારણ આ લોકો બનશે. મારી પોલીસ ખાતાને વિનંતી છે કે, આ લોકોને ખરાબ સજા થવી જોઈએ અને મારા પરિવારને ન્યાય મળવો જોઈએ., નહિતર મારા પરિવારને આ લોકો પાસેથી વળતર અપાવજો. સાથે જ આ સ્યૂસાઇડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખવામાં આવ્યું છે કે, સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવીને મારી અપીલ છે, મારા મિત્ર દક્ષેશભાઈ માવાણીને વિનંતી છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો.

વધુમાં લખતા કહ્યું છે કે, મેં સ્યૂસાઇડ કર્યું છે, તે આ લોકોની લીધે કરી રહ્યો છું, પોલીસ ખાતાને મારી વિનંતી છે. ખાસ સાહેબ હર્ષભાઈને વિનંતી છે કે, મારા પરિવારનો ન્યાય પૂરો અપાવશો. મારા પરિવારને કોઈ હેરાન કરવા જોઈએ નહીં. મારા મિત્રોને અપીલ છે કે, મારા પરિવારની જોડે ઉભા રહે. આ સ્યૂસાઇડ નોટ હું ફેસબુક પર ચડાવું છું.

હાલમાં કતારગામ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચીને ફરિયાદ નોંધી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Related posts

સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઉપર તોડ કર્યાનો આક્ષેપ, સૌરાષ્ટ્રના બે યુવાનોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા, 5 લાખનો તોડ?

Phone: 9998685264.

Ahmedabad : એસઓજીએ પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે આરોપીઓને ઝડપી પાડયા

Phone: 9998685264.

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા,જુઓ મહાત્મા ગાંધીના જીવન ચરિત્રની લેખા જોખા

Phone: 9998685264.

Leave a Comment