
અમદાવાદ અર્બન સેન્ટર અને આંગણવાડીની બહેનો દ્વારા દર સપ્તાહના ચોથા મંગળવારે પૂર્ણા યોજના કાર્યક્રમ યોજવવામાં આવે છે. જેમાં 11 થી 17 વર્ષની કિશોરીઓને ભોજન અને જીવનમાં ઉપયોગી થાય એવુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેના અંતર્ગત ગતરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અર્બન સેન્ટર અને આંગણવાડીની બહેનો દ્વારા નિત કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેશનના તમામ ઘટકના CDPO હાજર રહ્યા હતા.


કાર્યક્રમ અંતર્ગત 11 થી 17 વર્ષની બાળકીઓ કે જે આજે કિશોરીઓ છે અને આગળ સમય જતા તેઓ પણ માતા બનશે ત્યારે તેમણે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી બાળકની સંભાળ કેવી રીતે રાખવી, કેવું આહાર લેવું, જન્મેલા બાળકને પોષણ- યુક્ત આહારમાં કઈ કઈ વસ્તુઓ ખવડાવવી તેની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. તો બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અર્બન સેન્ટર આંગણવાડીના મહિલા વિકાસના ચેર પર્સન પ્રતિભાબેન જૈન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કિશોરીઓને ઝીણવટતા થી તમામ બાબતો ઉપર પ્રકાશ પાડી સમજણ અને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે પી. ઓ. મીનળબેન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમ્યાન મહિલા અભયમની ટીમ હાજર રહી હતી. તેમજ મહિલાઓ સાથે થતા અત્યાચાર કે તેમને પડતી મુશ્કેલીઓના સમયે કાયદા કે પોલીસનો સાથ સહકાર કેવી રીતે લેવો તેની ખુબજ સારી રીતે સમજણ આપી બાળકીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ,આંગણવાડીની બહેનો, અભયમની મહિલા ટીમ અને મહાનુભાવોએ કિશોરીઓ સાથે ભોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Total Users : 25
Total views : 93
Who's Online : 0