Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના

ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના

Our Visitor

009779
Total Users : 9779
Total views : 11450
Who's Online : 0

ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના

ગુજરાતના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત પહેલા ઓર્ડર કરીને રાજ્ય સરકારે રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિયુક્તિ કરી દીધી છે. બાકીના સિનિયર પોલીસ અધિકારીની બદલી મહિનાના અંત સમયમાં થાય તેવી સંભાવના છે. 30મી મે સુધીમાં રાજ્યના ચીફ સેક્રેટરીનું ભાવિ પણ ખૂલશે.
લાંબા સમયથી પેન્ડીંગ એવી સિનિયર પોલીસ અધિકારીઓ, શહેરોના પોલીસ કમિશનરો તેમજ રેન્જ આઇજીની બદલીઓ થવાની છે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારે યાદી તૈયાર કરી છે જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. બીજી તરફ સામાન્ય વહીવટ વિભાગે પણ શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ વિભાગોના સિનિયર આઇપીએસ ઓફિસરોની બદલીની યાદી આપી છે.

મે મહિનાના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્ય સરકારના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી તોળાઇ રહી છે ત્યારે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોના પોલીસ કમિશનરોની પણ બદલી થવાના ચાન્સ છે.

સચિવાલયના વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ આઇએએસ અને સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં બન્ને કેડરમાં મોટાપાયે ફેરબદલ થવાની સંભાવના છે.

આઇએએસ અધિકારીઓમાં એટલા માટે ફેરબદલ શક્ય છે કે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા વયનિવૃત્ત થવાના છે, જ્યારે સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી ઘણાં લાંબા સમયથી પેન્ડિગ છે.


ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના

Related posts

જામનગરમા ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો, પોલીસકર્મી દાખલ,

Ritesh Parmar

સુરતમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના નામે નકલી ખેલ: મોટા વરાછામાંથી લાખોના ડુપ્લીકેટ ‘કેશ કિંગ શેમ્પૂ’ અને ‘એરિયલ પાવડર’ સાથે ૩ ઝડપાયા

Ritesh Parmar

સુરત /લમ્પી વાઇરસના કહેર થી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે! જયારે સુરત જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ ચિકિત્સક હોવાથી પશુપાલકોની ચિંતા વધી! ચિકિતસ્કો અને પશુપાલન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ કરતા ખેડૂત આગેવાન : દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment