Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 1298

ગુજરાતના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત પહેલા ઓર્ડર કરીને રાજ્ય સરકારે રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિયુક્તિ કરી દીધી છે. બાકીના સિનિયર પોલીસ અધિકારીની બદલી મહિનાના અંત સમયમાં થાય તેવી સંભાવના છે. 30મી મે સુધીમાં રાજ્યના ચીફ સેક્રેટરીનું ભાવિ પણ ખૂલશે.
લાંબા સમયથી પેન્ડીંગ એવી સિનિયર પોલીસ અધિકારીઓ, શહેરોના પોલીસ કમિશનરો તેમજ રેન્જ આઇજીની બદલીઓ થવાની છે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારે યાદી તૈયાર કરી છે જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. બીજી તરફ સામાન્ય વહીવટ વિભાગે પણ શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ વિભાગોના સિનિયર આઇપીએસ ઓફિસરોની બદલીની યાદી આપી છે.

મે મહિનાના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્ય સરકારના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી તોળાઇ રહી છે ત્યારે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોના પોલીસ કમિશનરોની પણ બદલી થવાના ચાન્સ છે.

સચિવાલયના વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ આઇએએસ અને સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં બન્ને કેડરમાં મોટાપાયે ફેરબદલ થવાની સંભાવના છે.

આઇએએસ અધિકારીઓમાં એટલા માટે ફેરબદલ શક્ય છે કે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા વયનિવૃત્ત થવાના છે, જ્યારે સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી ઘણાં લાંબા સમયથી પેન્ડિગ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના

Related posts

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળી રાહતગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે..રાહુલ ગાંધી માટે ફરી લોકસભામાં જવાનું માર્ગ થયો ખુલ્લો..બે વર્ષની સજા સામે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

Phone: 9998685264.

ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે! 5 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામ સાથે અન્યાય, નોકરી, રોજગાર, વિદ્યાર્થીઓ અને અરસ પરસ વેપાર કરતા લોકોને પડે છે હાલાકી, દર્શન નાયકે પશ્ચિમ રેલ્વે મેનેજરને પત્ર લખીને ન્યાયની માંગ કરી

Phone: 9998685264.

સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?
ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.
સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

Phone: 9998685264.

Leave a Comment