Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 413

*આઘાતમાં આવી કતારગામમાં રહેતા મુકેશભાઇ સોજીત્રાએ ઝેર પી લીધું
શેઠના ઇશારે પરબત સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા
પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ મથકમાં જ કર્યા ધરણાં

હીરા ચોરીનો આરોપ મૂકી ટોર્ચરિંગ કરી ઢોર માર મરાતા આધાતમાં આવી ગયેલા હીરાના કારખાનાના મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
કારખાનાના શેઠના ઇશારે પોલીસ કર્મીઓએ મેનેજ૨ પર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે પરિવારજનોએ હોબાળો મચાવી સંગીન આક્ષેપો પણ કર્યા હતા.

મળતી વિગતો પ્રમાણે કતારગામમાં આંબાવાડી ખાતે અક્ષરધામ સોસાયટીમાં રહેતા મુકેશ ઉર્ફે મગન કનુભાઇ સોજીત્રા (ઉ.વ.48) નંદુ ડોશીની વાડીમાં વિપુલ મોરડિયાની હીરાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. દરમિયાન ગત તા.27મીએ બપોરે મુકેશભાઇએ ઘરમાં અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. તેમણે તાત્કાલિક સારવાર અર્થે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતુ. પરિવારજનોએ કરેલા આક્ષેપ પ્રમાણે હીરાના કારખાનામાં હીરા ચોરાઇ ગયા હતા. જે ચોરીના વહેમમાં કારખાનાના શેઠ તેમણે ટોર્ચર કરતા હતા અને શેઠના ઇશારે પરબતસિંહ સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા હતા. જેથી કંટાળી તેમણે આપઘાત કરી લીધો હતો. પરિવારે આ મામલે ભારે હંગામો મચાવ્યો હતો. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ સિંગણપોર પોલીસ મથકમાં જ ધરણા કર્યા હતા. આખરે સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Related posts

વલસાડ / 1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ ઝડપાઈ, LCB, SOG, અને ડુંગરી પોલીસનું સયુંકત ઓપરેશન

Phone: 9998685264.

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Phone: 9998685264.

ઉત્તર પ્રદેશ / માત્ર 75 ઘર ધરાવતા ગામમાં 47 લોકો IAS ઓફિસર બન્યા, ઈસરો,અણુ સંશોધન કેન્દ્ર, વિશ્વ બેંક તથા અનેક દેશોના રાજદૂત બની આપી રહ્યા છે સેવા

Phone: 9998685264.

Leave a Comment