Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

*આઘાતમાં આવી કતારગામમાં રહેતા મુકેશભાઇ સોજીત્રાએ ઝેર પી લીધું
શેઠના ઇશારે પરબત સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા
પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ મથકમાં જ કર્યા ધરણાં

હીરા ચોરીનો આરોપ મૂકી ટોર્ચરિંગ કરી ઢોર માર મરાતા આધાતમાં આવી ગયેલા હીરાના કારખાનાના મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
કારખાનાના શેઠના ઇશારે પોલીસ કર્મીઓએ મેનેજ૨ પર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે પરિવારજનોએ હોબાળો મચાવી સંગીન આક્ષેપો પણ કર્યા હતા.

મળતી વિગતો પ્રમાણે કતારગામમાં આંબાવાડી ખાતે અક્ષરધામ સોસાયટીમાં રહેતા મુકેશ ઉર્ફે મગન કનુભાઇ સોજીત્રા (ઉ.વ.48) નંદુ ડોશીની વાડીમાં વિપુલ મોરડિયાની હીરાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. દરમિયાન ગત તા.27મીએ બપોરે મુકેશભાઇએ ઘરમાં અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. તેમણે તાત્કાલિક સારવાર અર્થે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતુ. પરિવારજનોએ કરેલા આક્ષેપ પ્રમાણે હીરાના કારખાનામાં હીરા ચોરાઇ ગયા હતા. જે ચોરીના વહેમમાં કારખાનાના શેઠ તેમણે ટોર્ચર કરતા હતા અને શેઠના ઇશારે પરબતસિંહ સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા હતા. જેથી કંટાળી તેમણે આપઘાત કરી લીધો હતો. પરિવારે આ મામલે ભારે હંગામો મચાવ્યો હતો. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ સિંગણપોર પોલીસ મથકમાં જ ધરણા કર્યા હતા. આખરે સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Related posts

માનસિક વિકૃત પુરુષ મહિલાઓને બતાવતો હતો પોતાનો પ્રાઇવેટ પાર્ટ્સ! ગ્રામજનોએ અંડરવેરમાં પેટ્રોલ નાખી આગ લગાવી દીધી

Ritesh Parmar

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે PI ઓની બદલી! જાણો કોની ક્યાં બદલી કરાઈ તેનું સંપૂર્ણ લિસ્ટ

Ritesh Parmar

અમદાવાદ / સગીરાને ભગાડી મધ્યપ્રદેશ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો! બાદમાં જયારે આ મામલે પોક્સો બળાત્કાર ની ફરિયાદ નોંધાઈ તો સમાધાન કરવા ફાયરિંગ કરાયું, સરદારનગર પોલીસે 3 ની ધરપકડ કરી

Ritesh Parmar

Leave a Comment