
અમદાવાદ.તા 14.
વિશ્વભરમાં 14મી ફેબ્રુઆરી એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ ત્રણ વર્ષ પહેલાં આજ દિવસે દેશના 40 જવાનોને અંતકવાદીઓએ આર. ડી.એક્સ.થી આત્મઘાતી હુમલો કરતા શહીદ થયા હતા.આ શહીદોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા આમ આદમી પાર્ટીના નરોડા વિધાનસભાના કાર્યકરોએ પગપાળા કેન્ડલ માર્ચ કરી હતી.

દેશભરમાં 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે તરીકે લોકો ઉજવણી કરી રહ્યા છે.આ દિવસે દેશ ના ઇતિહાસમાં એક સાથે 40 જવાનોને એકસાથે બૉમ્બ મારો કરી હત્યા કરી દેવામાં આવી હતી.
આમ આદમીના કાર્યકર્તાઓ દ્વવારા કેન્દ્રની સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજ દિન સુધી 40 જવાનોના હત્યારા ખુલ્લા ફરી રહ્યા છે.આ ઘટના પાછળના કોઈ પણ કારણ કેન્દ્ર સરકાર અત્યાર સુધી જાણી શકી નથી.જે બાબત દુઃખદ છે.
ગુજરાતમાં દિલ્લી મોડેલ માટે આમ આદમી પાર્ટી પોતાની કમર કસી રહી છે.આગામી વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે.આ વખતે ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટીને પોતાનો મત આપવા મક્કમ છે. આમ આદમી પાર્ટી નરોડા વિધાનસભા ના કાર્યકર્તા જ્યેન્દ્ર અભવેકર, મનોજભાઈ ગહેલોત, ગીતાબેન સુંદરવા, દિનેશ પંચાલ,પરેશ તુલસીયાની ,આશાબેન થદાની, રીંકુબેન સિંઘણીયા, મેહુલભાઈ પરમાર સહિતના કાર્યકતાઓએ શહીદ જવાનોને સરદારનગર વિસ્તારના કુબેરનગર રાજાવીર સર્કલ, અને નરોડા પાટિયા સુધી પગપાળા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0