Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચમાં ધર્મ પરિવર્તનનું મસમોટુ કાવતરું: વિદેશથી ફંડ મેળવી ધર્માતરણ કરાવતા 9 લોકો સામે ફરીયાદ નોંધાઈ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 332

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભરુચ જિલ્લાના એક ગામડામાં આદિવાસીઓનું વિદેશથી મળેલા ફંડનો ઉપયોગ કરીને ધર્માંતરણ કરાવવા માટે કથિત રીતે પ્રલોભન આપવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે લંડનમાં રહેતાં એક સ્થાનિક વ્યક્તિ સહિત નવ લોકો વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ભરુચના આમોદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના નિવાસી ‘વાસવા હિન્દુ’ સમુદાયના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓને પૈસા અને અન્ય લાલચ આપીને પોતાનો ધર્મ બદલવા માટે કહેવામાં આવ્યું હતું.
આરોપીઓએ નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં આદિવાસી લોકોની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને તેને ઈસ્લામ ધર્મ અપનાવી લેવા માટેની લાલચ આપી હતી.

આ કાંડમાં સંડોવાયેલા નવેય આરોપી સ્થાનિક નિવાસી છે. એક આરોપી અત્યારે લંડનમાં રહે છે અને તેની ઓળખ ફેફડાવાલા હાજી અબ્દુલના રૂપમાં થવા પામી છે જેણે આ હેતુ માટે વિદેશથી ધન એકઠું કર્યું હતું.

ભરુચ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે વિદેશથી એકઠા કરવામાં આવેલા ધનનો ઉપયોગ કરીને મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા ગેરકાયદે ધાર્મિક રૂપાંતરણ ગતિવિધિ અહીં લાંબા સમયથી ચાલી રહી હતી. આરોપીઓએ બે સમુદાયના સભ્યો વચ્ચે દુશ્મની ઉભી કરાવવા અને શાંતિ ડહોળી નાખવા માટે રચવામાં આવેલા અપરાધીક કાવતરા હેઠળ વસાવા હિન્દુ સમુદાયના લોકોને પૈસા અને અન્ય મદદ પૂરી પાડવાનું કહીને છેતરપિંડીથી ઈસ્લામમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભરુચ જિલ્લાના નબીપુરમાં મુળ રહેવાસી અને અત્યારે લંડનમાં રહેતો ફેફડાવાલા હાજી અબ્દુલ ધર્મ પરિવર્તન માટે વિદેશથી પૈસા એકઠા કરે છે. પોલીસે જણાવ્યું કે નવ લોકો વિરુદ્ધ ગુજરાત ધર્મની સ્વતંત્રતા (સંશોધન) કાયદાની સાથે સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 120(બી) (અપરાધીક કાવતરું), 153 (બી) (સી) (વૈમનસ્યતા ફેલાવવાની આશંકા) અને 506 (2) (અપરાધીક ધમકી) હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભરૂચમાં ધર્મ પરિવર્તનનું મસમોટુ કાવતરું: વિદેશથી ફંડ મેળવી ધર્માતરણ કરાવતા 9 લોકો સામે ફરીયાદ નોંધાઈ

Related posts

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

Phone: 9998685264.

સુરતના ઉમરપાડામાં બુટલેગરોએ દારૂ ભરેલી કાર દ્વારા પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો! સદનસીબે જીવ બચ્યો, પોલીસના બાઈકનું કચ્ચરધાણ, સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો

Phone: 9998685264.

અમદાવાદ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનું આયોજન
99 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મીઓનું સન્માન કરાયું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું સન્માન
સમારોહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

Phone: 9998685264.

Leave a Comment