Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 5414

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

અહેવાલ – રીતેશ પરમાર

વડોદરામાં જાણે આભ ફાટ્યો હોય તેવી રીતે 13 ઇંચ થી વધુ મુશળધાર વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ઠેર ઠેર સોસાયટી, ઘરો અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. જેના લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે આવી પરિસ્થિતિમાં એક શ્રમજીવી પરિવારના સાત સભ્યો 6 ફૂટ થી વધારે પાણીમાં ફસાઈ જતા તેમનો જીવ તાળવે ચોંટ્યો હતો. ફસાયેલાં પરિવારે તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરી જરોદ પોલીસની મદદ માંગી હતી.

જરોદના પીઆઈ બારોટે માનવતા મહેકાવી સાર્થક કર્યું કે પોલીસ પ્રજાની રક્ષક છે

વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે ભાલીયાવગા ખાતેના ભાથીજી મહારાજના મંદિરનું સમારકામ કરી રહેલો રાજસ્થાની શ્રમજીવી પરિવાર કે જેમાં મહિલાઓ, નાના બાળકો સહીત કુલ સાત લોકો મંદિરે સુઈ રહ્યા હતા તે દરમ્યાન આસમાન થી આફત બની ખાબકેલા મુશળધાર વરસાદનો પાણી મંદિરમાં ઘુસી જતા મજુર પરિવાર મંદિર ઉપર ચઢી જઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસની સહાય મેળવવા કંટ્રોલ મેસેજ કરેલ છે. જેથી જરોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ બારોટે થોડુંક પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક પોતાના પોલીસ સ્ટાફ સહીત રેસ્ક્યુ કરવાની સાધન સામગ્રી લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પીઆઇ બારોટે બહાદુરી પૂર્વક નિસહાય બનેલા શ્રમજીવી પરિવારને ડૂબતા બચાવી લેવા પોતાના જીવના જોખમની પરવાહ કર્યા વગર બચાવ કામગીરી હાથ ધરી હતી.

જરોદ પીઆઈ બારોટ અને તેમની સાથે પોલીસ સ્ટાફ 6 ફૂટ થી વધુ ઊંડા પાણીમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરી હતી

જરોદના પીઆઇ શ્રી જે એ બારોટે 6 ફૂટ થી પણ વધુ પાણીમાં ઉતરી જઈ દોરડા ફેંકી પાણીમાં ફસાયેલાં પરિવારનો રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના લીધે આ યુક્તિમાં સફળતા ના મળી શકી હતી. હવે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જોઈ પીઆઈ બારોટે સુજ બુજ વાપરી તાત્કાલિક NDRF ની ટીમનો સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ NDRF અને જરોદ પોલીસે સયુંકત રીતે બચાવ કામગીરી હાથ ધરીને પાણીમાં ડૂબતા ગરીબ અને મજુર પરિવારને સફળ રીતે બચાવી લીધો હતો.

સફળ રેસ્ક્યુના લીધે પરિવારનો જીવ બચી જતા શ્રમજીવી પરિવારે જરોદ પોલીસ અને NDRF ટીમનો આભાર માન્યો જુઓ વિડીયો

આપને જણાવી દઈએ કે રાજસ્થાનના ડુંગરપુરથી વડોદરા મજૂરી કરવા આવેલા રાજસ્થાની શ્રમજીવી પરિવાર જરોદના ભાલીયાવગા ખાતેના ભાથીજી મહારાજના મંદિરના સમારકામ માટે મંદિરમાં કામ કરતા દરમ્યાન આફત બનીને આવેલા વરસાદી પાણીના લીધે સંકટમાં ફસાઈ ગયો હતો.પાણીના વહાવમાં ડૂબવાથી બચવાં પરિવારના સાત સભ્યો જેમાં બે મહિલા, બે બાળકો અને ત્રણ પુરુષો સહીત તમામ મંદિરની ચોટી ઉપર ચઢી ગયા હતા. જેમાંથી એક મજદૂરે સમજદારી દાખવી તાત્કાલિક જરોદ પોલીસનો સંપર્ક કરી સમગ્ર વિગત જણાવી હતી. અને ત્યારબાદ જરોદના બહાદુર અને નીડર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એ બારોટે સમય સૂચકતા દાખવી અને પોતાના જીવની પરવાહ કર્યા વગર પોતાના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જઈ NDRF ના ટીમની મદદ લઈ સાત લોકોના જીવ બચાવી માનવતા મહેકાવી હતી. તેથી જ કહેવાય છે કે પોલીસ પ્રજાની રક્ષક છે. આ ઘટનામાં પોતાના પરિવારનો જીવ બચી જતા શ્રમજીવી પરિવારે જરોદના પીઆઈ બારોટ સાહેબનો ખુબ ખુબ આભાર પ્રકટ કર્યો હતો. અને સાથે સાથે NDRF ની સફળ કામગીરીને પણ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે જરોદ પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર બારોટની પ્રસંશનીય કામગીરીને વડોદરાની જનતાએ વધાવી લઈ ચારે બાજુ પ્રશંસા કરી હતી. તો બીજીતરફ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસના વડાએ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસના ટ્વિટર હેન્ડલ ઉપર સમગ્ર ઘટનાના ફોટો મૂકી જરોદના પીઆઈ જે એ બારોટ સહીત સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ NDRF ટીમની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

Related posts

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Phone: 9998685264.

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, જાહેર રોડ ઉપર બે મહિલાઓ ઉપર કર્યો હુમલો, પોલીસ કમિશ્નર અજય તોમરના કડક આદેશ બાદ બંને આરોપીઓની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

Phone: 9998685264.

સુરત / ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જબરદસ્ત પ્રચાર! એકજ સંકલ્પ જીત, ડોર ટુ ડોર 8 વચનોની પત્રિકાનું વિતરણ, જનતાનું મળી રહ્યું છે સારો પ્રતિસાદ :દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment