
અહેવાલ – નિલેશ ઘાંઘેકર
આજ રોજ આઝાદીના મહાપર્વ નિમિતે સમગ્ર ભારત દેશના ખૂણે ખૂણે દેશભક્તિનો રંગ આઝાદીનો જસન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના નરોડા ખાતેના કર્ણાવતી સુઝુકી દ્વારા બાઈક રેલીનો આયોજન કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત દેશની આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરી તેમને સલામી આપવામાં આવી હતી.
નરોડા ખાતેના કર્ણાવતી સુઝુકી કંપનીના તમામ હોદ્દેદારો, કર્મચારીઓ, આજુબાજુના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજના 77 માં આઝાદીના વર્ષ નિમિતે સૌ પ્રથમ ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર્તાઓ અને કર્ણાવતી સુઝુકી કંપનીના કર્મચારીઓ દ્વારા પોતાના વ્યક્તવ્યમાં આજની યુવા પેઢીને આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનને યાદ કરાવી દેશભક્તિના પાઠ શીખવ્યા હતા. અને ત્યારબાદ હાથમાં તિરંગો લહેરાવી બાઈક રેલી કાઢવામાં આવી હતી. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ જય હિંદ વંદે માતરમના નારા લગાવી દેશભક્તિનો એક ઉત્તમ ઉદાહરણ પૂરો પાડ્યો હતો.





Total Users : 25
Total views : 93
Who's Online : 0