Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હમારા નેતા કેસા હો ધારાસભ્ય પાયલ કુકરાણી જેસા હો.. સરદારનગરના 500 થી વધુ વેપારીઓના ઘર અને દુકાનો તૂટતાં બચાવી લેતા મહિલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાયો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 1
Views 2942

સિંધિ સમાજના સરદારનગર તલાવડીના વેપારીઓ દ્વારા નરોડાના લોકલાડીલા ધારાસભ્ય ડૉ. પાયલબેન મનોજભાઈ કુકરાની, અમદાવાદ મેયર કિરીટભાઇ પરમાર, અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ,
કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અન્ય મહાનુભાવોનો સ્વાગત અને સન્‍માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ વેપારીઓ દ્વારા એટલા માટે રખાયો હતો કે સરકારી ટીપી સ્કીમ 67 માં 100 જેટલી દુકાનો અને રહેઠાણો કપાતમાં જતા હતા. આ અંગે વેપારીઓ અને સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્ય પાયલ કૂકરાણીએ અસરકારક કામગીરી કરીને 500 પરિવારોને બેઘર થતા બચાવી લીધા હતા.

નરોડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વરસાદી પાણીના નિકાલ માટે વિસ્તારના રાઉન્ડ વખતે નરોડા વિધાનસભામાં આવતા સરદારનગર વોર્ડમાં એરપોર્ટ રોડથી તલાવડી સુધીના રોડ પર ટી.પી. ૬૭ (હાંસોલ – ૧) માં જે ટી.પી. પસાર થવાની છે. તેના અમલથી સંભવિત અસર અંગે સૌ વેપારીઓએ ભેગા મળી આ રોડ પરની ટીપીમાં આવતી ૧૦૦ જેટલી દુકાનો અને રહેઠાંણો કપાતમાં જાય છે તેવી રજુઆત કરી હતી. જે અંગે બીજાજ દિવસે ધારાસભ્યશ્રી ડો. પાયલબેન કુકરાણીએ દુકાનદારોને તેમના ઓફિસે બોલાવી બધાજ દુકાનદારો અને સમાજના આગેવાનોને સાંભળવા એક મીટીંગનું આયોજન કર્યું હતું, તેમજ કામને ઝડપથી કરી શકાય તે માટે ૧૧ લોકોની એક કમીટી બનાવી તે કમીટી સાથે સતત સંપર્ક અને ફોલોઅપ કર્યું હતુ.

આ આગેવાનો સાથે ડે. મ્યુ. કમિશ્નર સાથે મીટીંગ કરાવી ટાઉન પ્લાનિંગ વિભાગ અને દરેક ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી, માહિતી મેળવી કોર્પોરેશન અને સરકારમાં રજુઆત કરી આ
ટી.પી.નું અમલ યોગ્ય રીતે થાય અને તેની અસર દુકાનદારોને ઓછામાં ઓછી થાય તે અંગેની સફળ રજુઆત કરવામાં આવી હતી. જેનાથી આ ૧૫૦ દુકાનો કે ઘરો નહી પરંતું, ૫૦૦ પરિવારોના ભવિષ્ય સુરક્ષિત થયા છે.

સિંધિ સમાજ તલાવડીના વેપારીઓ દ્વારા માનનીય ધારાસભ્ય ડૉ. પાયલબેન મનોજકુમાર કુકરાની, અમદાવાદ મેયર કિરીટભાઇ પરમાર, અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ,
કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અન્ય મહાનુભાવોનો સ્વાગત અને સન્‍માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હમારા નેતા કેસા હો ધારાસભ્ય પાયલ કુકરાણી જેસા હો.. સરદારનગરના 500 થી વધુ વેપારીઓના ઘર અને દુકાનો તૂટતાં બચાવી લેતા મહિલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાયો

Related posts

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે! સુરતના કુદસડ ગામમાં ઠેર ઠેર ગંદકી, કચરાનું સામ્રાજય, ગટરો ઉભરાઈ રહી હોવાના કારણે બીમારી ફેલાવવાની શક્યતા :દર્શન નાયક :

Phone: 9998685264.

વડોદરા /નાની બાળકી સાથે શારિરીક અડપલાં થતાં હોબાળો,અજાણી વ્યક્તિ વિરૃદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Phone: 9998685264.

ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી કાઢ્યા

Phone: 9998685264.

Leave a Comment