Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 4913

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ઊંઝાના વેપારી મહેશ પટેલે પીએમઓને ફરિયાદ કરતાં રાજકોટ પોલીસ કમિશ્નર અને ક્રાઈમ બ્રાંચના અધિકારી સામે તપાસ થઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના તાત્કાલિક પી.આઈ.વી.કે.ગઢવી તેમજ પીએસઆઇ યુ.બી.જોગરણા સહિતના સ્ટાફ સામે અંતે ગુનો નોંધાયો છે. વધુ વિગત અનુસાર પીએમઓમાં થયેલી ફરિયાદ બાદ હવે વિવાદમાં સપડાયેલા અગ્રવાલની મુશ્કેલીમાં વધારો થયો છે.મહેશ પટેલે CCTV ફૂટેજ અને માર માર્યાના ફોટા સાથે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ને ફરિયાદ કરી હતી.

ઊંઝાના વેપારી મહેશ પટેલને રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચના પોલીસોએ ઉઠાવી લાવી ઢોર માર માર્યો હતો. બાનાખત પડાવી લેવા માટે ઇસબગુલના વેપારીને બે દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. મહેશ પટેલની ફરિયાદ છે કે, રાજકોટ પોલીસ ઉંઝા આવી હતી. વેપારી મહેશ પટેલને પ્રથમ ઉંઝા પોલીસ મથકમાં લવાયો હતો. ત્યાર બાદ રાજકોટ લઈ ગઈ હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચના માણસોએ પોતાને બે દીવસ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં ઢોર માર માર્યો હતો.

જે તે વખતે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ફોડેલા લેટર બૉમ્બ બાદ પોલીસના અત્યાચારનો ભોગ બનેલા લોકો બહાર આવ્યા હતા. તેના ભાગરૂપે જ મહેશ પટેલે ફરિયાદ કરી હતી. આ મામલે ડીસીપીને તપાસ સોંપાયા બાદ પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

Related posts

Who wants to defame and blackmail owner of Sparsh Multi Speciality Hospital, Dr. Nimesh Prajapati?

Phone: 9998685264.

કઈ રીતે ભણશે ગુજરાત? AMCની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના ચોંકાવનારા ડેટા આવ્યા સામે, 54 માંથી 36 સ્કૂલોમાં એક પણ કાયમી શિક્ષક નથી

Phone: 9998685264.

રાજકોટમાં વીશીના સ્કીમમાં 11 કરોડ ફસાઈ જતા પરિણીતાનો આપઘાત,મહિલાના પ્રેમી અને ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધાયો!

Phone: 9998685264.

Leave a Comment