Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ
દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણદહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Our Visitor

009923
Total Users : 9923
Total views : 11611
Who's Online : 1

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણદહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર
દહેગામ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ

સુજાના મુવાડા ગામના એક જાગૃત નાગરિકના નામે પત્રિકા ફરતી થઇ છે
વખતસિંહ ચૌહાણના ચરિત્ર અને સ્વભાવ ઉપર કથિત સવાલો ઉઠાવાયા છે
હાલમાં દહેગામમાં કોંગ્રેસના ઉમેદવારની એક પત્રિકા ફરતી થઇ
દહેગામ સીટ પર કોંગ્રેસએ ટિકીટ નહી આપતાં પુર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડએ બળવો કરીને ભાજપનો ખેસ પહેરી લીધો.ત્યાં હવે જ્યારે મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ ઉપર સનસનીખેજ આક્ષપો કરતી પત્રિકા ફરતી થતાં ચકચાર મચી છે. સુજાના મુવાડા ગામના એક જાગૃત નાગરિકના નામે ફરતી થયેલી પત્રિકામાં કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણના ચરિત્ર અને સ્વભાવ ઉપર કથિત આક્ષેપો કરાયા છે. થોડા સમય પહેલા જ કેટલાક યુવાનોને અપશબ્દો કહેવાનો પણ ઉલ્લેખ પત્રિકામાં કરાયો છે. જેને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવા તત્વો ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની ઉમેદવારે ચિમકી ઉચ્ચારી છે.

વિવાદિત પત્રિકા ફરતી થતાં દહેગામ રાજનીતિમાં ચકચાર

મને બદનામ કરવાનુ કાવતરુ : વખતસિંહ ચૌહાણ

દહેગામમાં કોંગ્રેસના ઉમેદવાર વિશે કથિત આક્ષેપો કરતી પત્રિકા ફરતી થવા અંગે સ્પષ્ટતા કરતા વખતસિંહે ચૌહાણે જણાવ્યુ કે આ પ્રકારની પત્રિકા પહેલા હું જીલ્લા પંચાયત લડતો હતો ત્યારે પણ અમુક તત્વોએ મને બદનામ કરવા માટે વાયરલ કરી હતી. જે તથ્ય વિહોણી વાત છે. અત્યારે હાલ હુ વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છુ અને આગળ વધી રહ્યો છુ ત્યારે આવા લોકો હાર ભાળી ગયા છે. આવા લોકો ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ આક્ષેપોને લઈ હુ સો ટકા ફોજદારી કેસ કરીશ તેવું જણાવ્યું હતું. એક ઓડીયો વાઇરલ થયો હોવા અંગે પણ તેમણે જણાવ્યુ કે વિધાનસભાની ટીકીટની ચર્ચા ચાલતી હતી તે વખતે અમુક અસામજીક તત્વોએ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વાતમાં કોઇ જ તથ્ય ના હોવાની સ્પષ્ટતા કરી હતી.


ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ<br>દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Related posts

તામિલનાડુ/તેનકાસીમાં ચાલતી બસમાંથી એક મહિલા નીચે પડી જતા મહિલાનું કરુણ મોત, જુઓ લાઈવ વિડીયો

Ritesh Parmar

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Ritesh Parmar

અમદાવાદ / બોપલ ડ્રગ્સ રેકેટ મામલો , ડ્રગ્સ પાર્ટીમાં પ્રતિષ્ઠિત લોકો સાથે IAS, IPS ના સંતાનો પણ હાજર હતા? 70 લોકોની લિસ્ટ તૈયાર

Ritesh Parmar

Leave a Comment