Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બનાસકાંઠા / કાંકરેજના નાના જામપુર ની સીમમાં ઘુસી દીપડાએ બે ખેડૂતોને ગંભીર રીતે ઘાયલ કરતા ફફડાટ,

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 311

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

કાંકરેજ તાલુકાના બનાસ નદી વિસ્તારમાં આવેલા નાના જામપુર ગામની સીમમાં ગઈકાલે વહેલી સવારે ૮ઃ૩૦ વાગ્યાના સુમારે ઠાકોર વધાજી ભૂપતાજી
પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઇ પશુએ તેમના પર હુમલો કરતાં વધારી બૂમાબૂમ કરતાં તેમનો પુત્ર કિરીટજી લાકડી લઈને દોડતો તેના પિતા વધાજીએ બૂમ પાડી હતી તે તરફ ગયો તો જંગલી પશુએ વધાજીને છોડી કિરીટજી તરફ ઘુરકીયા કરતો દોડી આવી પેટના ભાગે ઈજા કરી હતી.

પિતા પુત્રની બૂમાબૂમ સાંભળી ઘરના તથા આજુબાજુના ખેતરમાં રહેતા લોકો દોડી આવતાં હુમલાખોર જંગલી પ્રાણી ઊભેલા પાકમાં નાશી છૂટયુ હતું. જંગલી પ્રાણી દિપડા કે વાઘ હોવાનું લોકો કહેતા હતા. જંગલી પ્રાણીના હુમલાથી ઘવાયેલા વધાજી ભૂપતાજી ઠાકોર અને કિરીજી વધાજી ઠાકોરને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલ થરા ખાતે લાવવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે વધાજીને હાથના ભાગે તથા કિરીટજીને પેટના ભાગે થયેલ ઈજાઓને સઘન સારવાર કરી રજા આપી હતી.

જંગલી જાનવરના ઓચિંતા હુમલાની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જંગલી પશુને પકડવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ જંગલી જાનવર દિપડો છે કે વાઘ તે અંગે અવનવી અટકળો વચ્ચે નાશી છૂટેલા આ જંગલી જાનવરોની ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનોને સજાગ રહેવા અપીલ કરાઈ છે. હાલ નાના જામપુર ની સીમના ખેતરોમાં આ જંગલી જાનવર છુપાયું હોય તેવું લોકો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે નાનાજામપુર તાણા કાટકોર પટણી ઓઢા ખારીયા સહીતના બનાસ નદી પટ વિસ્તાર ના ખેતવિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે. ફોરેસ્ટ ખાતું સત્વરે આ જંગલી જાનવરને પકડી લોકોને ભય મુકત કરે તેવું લોકો કહેતા હતા.ખેતર વિસ્તારના લોકો ભયના માર્યા ઘરના છાપરા ઉપર હુમલાખોર જંગલી પ્રાણીથી બચવા ચડેલા જાેવા મળ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બનાસકાંઠા / કાંકરેજના નાના જામપુર ની સીમમાં ઘુસી દીપડાએ બે ખેડૂતોને ગંભીર રીતે ઘાયલ કરતા ફફડાટ,

Related posts

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

Phone: 9998685264.

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

Phone: 9998685264.

આતો કેવા ચોર ભાઈ, માલગાડીનું ડીઝલ ચોરી ગયા! ડોગની મદદ લઈ ચોર ટોળકીને ઝડપી પાડવામા આવી

Phone: 9998685264.

Leave a Comment