Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 1
Views 5182

સાબરમતીમાં બાબુ દાઢીના અડ્ડા પર દરોડા પડયાં હતાં
12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા
કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢીના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પકડાયેલા પીએસઆઈ સહિત 12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.કોર્ટે શરતો મૂકી છે કે, નિયત તારીખે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું, કાયમી સરનામું આપવું, કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર નિર્દોષ છે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવ્યા છે, પોલીસે જે કલમ લગાવી છે તે અમલી બને જ નહીં, ક્યાંય પણ ભાગી જવાના નથી, તપાસમાં સહકાર આપીએ છીએ, કોર્ટ જામીન આપશે તો તમામ શરતોનુ પાલન કરવા તૈયાર છીએ. બીજી તરફ, પોલીસે સોગંદનામું કરીને જવાબ રજૂ કરેલો કે જે લોકોની ધરપકડ કરાયેલી છે, તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ છે. પોલીસની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, જો કે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિ કરતા મળ્યા છે, રેલવેમાં જુગાર રમાડીને સરકારી મિલકતનો દુરુપયોગ કર્યો છે. જેથી, આરોપીઓની જામીન અરજીને ફગાવી દો. મહત્વનુ છે કે, અમદાવાદ ગ્રામ્ય (જિલ્લા) કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવેલી. જેની સામે, આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Related posts

સાયલા દારૂકાંડ મામલો / જો અપહરણ જ કરવું હોત તો ઉપરી અધિકારીને જાણ શા માટે કરે: બચાવ પક્ષના વકીલની દલીલ! સરકારી વકીલે કહ્યું બંને પક્ષની દલીલો સાંભળી લાગે છે કે આરોપીઓએ દારૂનો જથ્થો સગેવગે કર્યો હોઈ શકે? રિમાન્ડ મંજુર ખુલશે અનેક રાજ

Phone: 9998685264.

અમદાવાદ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનું આયોજન
99 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મીઓનું સન્માન કરાયું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું સન્માન
સમારોહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

Phone: 9998685264.

Botad : પોલીસના અત્યાચાર બાદ જુવાનજોધ દીકરો ગુમાવ્યો, પરિવારનો આક્ષેપ- ત્રણ પોલીસકર્મી વિરુધ FIR દાખલ

Phone: 9998685264.

Leave a Comment