
આખા ગુજરાતમાં સુપ્રસિદ્ધ અને ચમત્કારિક સ્વયંભુ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેન થી આવેલી યુવતીએ શીશ નમાવી અને પ્રાર્થના કરી હતી .રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ બંધ થાય અને યુક્રેન ના લોકો યુદ્ધની નરસંહારમાં થી મુક્ત થાય એવી દાદાની પ્રાર્થના કરી હતી. બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે નરસંહાર થયો છે .યુક્રેન દેશ ને બેઠો થવામાં ઘણો સમય લાગશે વિશ્વ દ્વારા પણ યુક્રેનને ફરી બેઠો થવામાં મદદ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

યુક્રેન થી આવેલી વેલેરીયા દોગ્રો વોલ્સકા નામની મહિલાએ હિન્દુ દેવી-દેવતાઓમાં ખૂબ જ આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે.ભારતમાં ત્રીજી વાર પોતાના વ્યવસાયિક કામથી આવી હતી. તેણે અવારનવાર હનુમાનજી વિશે અને તેમના ચમત્કારો વિશે ઘણું સાંભળ્યું હતું. આજે કંપનીના ગાંધીનગર સ્થિત ઓળખીતા દ્વારા યુવતીને ડભોડિયા હનુમાનજી દાદાના દર્શન કરાવવા માટે લઈને આવ્યા હતા. ડભોડા દાદાના દર્શન કરીને યુવતી ખૂબ જ ભાવવિભોર બની ગઈ હતી અને માનસિક શાંતિ અનુભવી હોવાની વાત કરી હતી. ડભોડા દાદાને પ્રાર્થના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી વાત સમજાવવામાં આવતા યુવતીએ ડભોડા દાદાને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતુ યુદ્ધ બંધ થાય અને સ્થિતિ થાળે પડે એવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવતી તેના પોતાના ઘરે પણ પૂજા સ્થાન બનાવ્યું છે અને તેમાં દેવી દેવતાઓના ફોટા રાખ્યા છે .યુવતીએ ડભોડા દાદા નો ફોટો પોતાની સાથે લીધો હતો અને પૂજા સ્થાનમાં રાખીને પૂજા કરશે એવી ભાવના વ્યક્ત કરી હતી. આમ ડભોડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને ચમત્કારિક ડભોડિયા હનુમાનજી દાદાના ચરણોમાં વિદેશીઓ પણ શીશ ઝુકાવીને માનતા રાખતા થયા હોવાની ઘટના જોવા મળી હતી.






Total Users : 24
Total views : 92
Who's Online : 0