
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાત પોલીસ ગ્રેડ-પે મામલે અમદાવાદના રખિયાલની સસ્પેન્ડ થયેલ કોન્સ્ટેબલ નીલમ મકવાણાને ન્યાય આપવા માટે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રૂબરૂ મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

છેલ્લા 5 મહિનાથી પોલીસ કર્મીઓના ગ્રેડ-પે પગારની વિસંગતતા દૂર કરવા માટે નીલમ મકવાણા લડત ચલાવી રહ્યા છે.

23 માર્ચના રોજ ગાંધીનગર સ્થિત અખબર ભવનથી તેમની ધરપકડ કરી તેમને સાબરમતી જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા.
નીલમ મકવાણાએ જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડતા છેલ્લા 2-3 દિવસથી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમની તબિયત દિન-પ્રતિદિન બગડી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી તેમને મળતા સિવિલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો અમે પોલીસને ગ્રેડ-પેનો લાભ આપીશું.
ત્યારે નીલમબેન મકવાણાની થયેલ બદલી રદ્દ કરી મુળ જગ્યાએ નોકરી પર પરત લેવા, બાકી રહેલ પગાર ચૂકવવા અને ન્યાય આપવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને
બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષસંઘવીએ રૂબરૂ મળી પત્ર પાઠવ્યો હતો.
શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે કરેલ રજૂઆત બાદ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ નીલમબેન મકવાણાને ન્યાય મળે તે માટે હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0