Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 1

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર
સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા હાલમાં નવા નિયમોનું અમલીકરણ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે .આ નિયમ મુજબ હવે પ્રત્યેક બિલમાં યુનિટ દીઠ દર બદલાતા રહેશે. નવા તૈયાર કરવામાં આવી રહેલા ઈલેક્ટ્રીક સીટી એમએન્ડમેન્ટ રૂલ્સમાં ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર એગ્રીમેન્ટ એફ.પી.પી.પી એ હેઠળ વીજળીના યુનિટ દીઠ આવતો ભાવ વધારો દર મહિને ગ્રાહકો પાસે વસૂલ કરી લેવાની છૂટ આપતો નિર્ણય કરાયો છે .આ નિર્ણયની સામે અમોને સખત વાંધો છે .તાજેતરમાં ગુજરાતની સરકારી વીજ કંપનીઓએ યુનિટ દીઠમાં 0.79 પૈસાનો વધારો કરીને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત ભરના વીજ ગ્રાહકોને માથે કરોડો રૂપિયાનો બોજો નાખી દીધો છે. કેન્દ્રમાં જ્યારથી નવી સરકાર આવી છે ત્યારથી કોઈને કોઈ નિયમો અને કાયદા અન્વયે એ પછી નોટબંધી હોય કે જીએસટી હોય, હંમેશા પ્રજાને માથે આર્થિક બોજ નાખી દેવામાં આવી રહ્યો છે .

કેન્દ્રની કે પછી ગુજરાતની સરકારની નીતિઓને કારણે મોંઘવારી નો આક ખૂબ જ ઊંચે પહોંચી ગયો છે .જેને કારણે પ્રજા આર્થિક રીતે પડી ભાંગી છે. પ્રજાની સુખાકારીમાં વધારો કરવાને બદલે પ્રજા ઉપર બોજ નાખીને સરકારે પ્રજાને બેવડી વાળી દીધી છે. કોરોનાની મહામારીમા લોકોએ રોજગારી ગુમાવી છે .પોતાના આરોગ્ય પાછળ ખૂબ જ મોટો ખર્ચ કરવો પડ્યો છે .આવા સમયે લોકોને ઘરના બે છેડા ભેગા કરવા ખૂબ જ મુશ્કેલ પડી રહ્યા છે. તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે .આવા સમયે સરકાર તરફથી મળનારી સામાન્ય રાહત પણ લોકોને આનંદ થાય તેમ છે ,પરંતુ સરકાર પ્રજાને રાહત આપવાને બદલે વધુને વધુ બોજ પ્રજાને માથે નાખી રહી છે .કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આ નવા નિયમ મુજબ સરકારી વીજ કંપનીઓની પાવર પર મહિને જેટલો વધારો આવે એ વધારો વીજ વપરાશકારો પાસેથી વસૂલવામાં આવશે .આ નિયમને કારણે વીજ વપરાશકારોના વીજ બિલમાં ઘરખમ વધારો થશે એ ખૂબ જ અન્યાયી છે .હાલ પેટ્રોલ ડીઝલ સહિત તમામ ચીજ વસ્તુઓના ભાવ ખૂબ જ ઊંચા છે. મોંઘવારી આસમાનને અડી ગઈ છે ત્યારે આ નિયમ લાગુ પાડીને પ્રજાના માથે બોજ નાખવાના સરકારના આ પગલાં સામે અમારો સખત વાંધો છે અને આ નિયમનો અમલ ન થાય એવી લોકોના હિતમાં અમારી રજૂઆત છે.આપશ્રી સદર બાબતે પુનઃ વિચાર વિમર્સ કરી લોકહિતમાં આ નિર્યણનો અમલ ના થાય એવી સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે વિનંતી કરી હતી.


યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો પર પ્રવેશ મેળવવા તથા બસ સેવાનો ઉપયોગ માટે વેક્સીન ફરજીયાત,

Phone: 9998685264.

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

Phone: 9998685264.

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Phone: 9998685264.

Leave a Comment