Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં વિરાટનગર નજીક દિવ્ય પ્રભા સોસાયટીમાં 15 દિવસ પહેલા રહેવા આવેલા પરિવારની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. 4 દિવસ પહેલા હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ પર હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. સામુહિક હત્યાની આ ઘટના અમદાવાદના વિરાટનગરમાં સામે આવી છે. વિરાટનગર નજીક આવેલ મકાન માંથી દુર્ગંધ મારતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.

મૃતકોની યાદી

સોનલ બેન પત્ની
પ્રગતિ બેન છોકરી
ગણેશ ભાઈ છોકરો
સુભદ્રા બેન દાદી
હાલમાં વિનોદ ભાઈ જે ઘરનો મોભી છે ફરાર હોવાની માહિતી સામે આવી રહી છે.
મકાનમાં પતિ પત્ની અને બાળકો સહિત 4 લોકો રહેતા હતા. પોલીસને શંકા છે કે આ હત્યાકાંડને વિનોદે જ અંજામ આપ્યો હોઈ શકે છે. આ હત્યાકાંડ 4 દિવસ પહેલા બન્યો હોવાની માહિતી સામે આવી છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘરમાં તપાસ કરતા વૃદ્ધા, મહિલા અને દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય મૃતદેહો અલગ અલગ રુમમાંથી મળી આવ્યા હતા.

આ અંગે એવી માહિતી સામે આવી છે કે, આ પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી વિરાટનગરની દિવ્ય પ્રભા સોસાયટીમાં રહેવા આવ્યો હતો. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સોનલની માતાએ રિપોર્ટ લખાવ્યો કે તેમની દીકરી નથી મળી રહી ત્યાર બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતદેહ પર હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. પોલીસે વિનોદ મરાઠી નામના ઘરના મોભીની શોધખોળ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની પોલીસને શંકા છે. હાલમાં એફએસેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.


અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Related posts

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

Phone: 9998685264.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બે કર્મચારીઓ ચાલુ ફરજ ઉપર દારૂના નશામાં ઝડપાયા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસ બોલાવી બંને કર્મચારીઓને પકડાવ્યા, દારૂબંધીના લીરેલીરા ઉડ્યા

Phone: 9998685264.

વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો

Phone: 9998685264.

Leave a Comment