Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિદ્યાર્થીના મોઢામાં ડુચો મારી ઉંધો લટકાવી માર મારનાર બે શિક્ષિકાને જેલની સજા ફટકારતી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ

વિદ્યાર્થીના મોઢામાં ડુચો મારી ઉંધો લટકાવી માર મારનાર બે શિક્ષિકાને જેલની સજા ફટકારતી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

વિદ્યાર્થીના મોઢામાં ડુચો મારી ઉંધો લટકાવી માર મારનાર બે શિક્ષિકાને જેલની સજા ફટકારતી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદની ગ્રામ્ય કોર્ટે માસુમ વિધાર્થીના મોંઢામાં કાગળનો ડુચો મારી,ઉંધો લટકાવી તથા ચુંટલા ભરીને માનશિક-શારિરીક અત્યાંચાર ગુજારનાર બે શિક્ષિકાને કસુરવાર ઠેરવી બંને શિક્ષિકાને ત્રણ-ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.સરકારી વકીલ ડી.જે.પરમારે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ની કલમ 75,87 હેઠળ નોંધાયેલા કેસમાં સરકારી વકીલ ધીરુભાઈ. જે. પરમારે કોર્ટ સમક્ષ ધારદાર રજુઆતો કરી હતી.કોર્ટે તેના ચુકાદામાં નોધ કરી હતી કે ગુરુ શિક્ષા આપે તે જરુરી છે,પણ શિક્ષામાં ક્રૂરતા ન હોવી જોઈએ.કોર્ટે ડીઈઓને પણ બંને શિક્ષિકા વિરુધ્ધ ડીસીપ્લીનરી અંગે કાર્યવાહી કરવા સુચના આપી હતી.
અમદાવાદ શહેરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે ગત તા.22 જુન 2017ના રોજ મકરબા વિસ્તારમાં રહેતા નયન ઠાકોર(નામ બદલ્યું છે)તેમના પુત્ર યશને બપોરે 04-00 વાગે સ્કુલ પરથી લેવા માટે સ્કુલ પર ગયા હતા.તેમનો પુત્ર યશ(નામ બદલ્યું છે) એક ક્લાસના રુમમાં હતો.જ્યાં ફરજ બજાવતી બે શિક્ષિકાએ યશના પગ પકડી ઉંધો લટકાવ્યો હતો,તેના મોંઢામાં કાગળનો ડુચો માર્યો હતો.પુત્ર પર માનશિક શારીરિક ત્રાસ ગુજારી રહ્યા હોવાનું દ્રશ્ય નિહાળી નયન ઠાકોર ચોંકી ઉઠ્યા હતા.તેમણે પુત્ર પર અત્યાચાર ગુજારી રહેલી બંને શિક્ષિકા તરુણા મોહનભાઈ પરબતીયા અને નઝમા ગુલામ હૈદર ગુલામરસુલ શેખને પુછતાં બંને શિક્ષિકાએ કહ્યું હતું કે તેમનો વિદ્યાર્થી એટલેકે ફરિયાદીનો પુત્ર યશ વારંવાર પાણી પીવા અને પેશાબ કરવા જાય છે જેથી માર માર્યો છે.
ત્યારબાદ નયન ઠાકોર પુત્રને લઈ ઘરે આવતાં જ તેમના પત્નિએ પુત્રના કપડાં બદલાવતા હતા તે સમયે તપાસ કરતાં પુત્રના સાથળના ભાગે લાલ ચકમા જોયા હતા.તેમની પત્નિએ પુત્રને ફોસલાવી પુછતાં તેણે દર્દનાક કરુણ કથની વ્યક્ત કરતાં કહ્યું હતું કે બંને શિક્ષિકા તેને છેલ્લા ત્રણ દિવસથી માનસીક અને શારિરીક ત્રાસ આપી રહ્યા છે.જેથી બાળકના વાલી તરત જ પિડિત બાળકને લઈ સરખેજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.પોલીસે પિડિત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ અંગે જુવેનાઈલ જસ્ટીસ એક્ટની કલમ 75-78 તથા આઈપીસીની કલમ 323 હેઠળ બંને શિક્ષિકા તરુણા પરબીયા અને નઝમા શેખ સામે ગુનો નોંધી પોલીસે બંને શિક્ષિકાની ધરપકડ કરી હતી.જોકે બંને શિક્ષિકાને ત્યારબાદ કોર્ટે જામીન પર મુક્ત કરી હતી.
આ અંગે કેસ બીજા એડી.જ્યુડી.મેજી.ફર્સ્ટ ક્લાસ કોર્ટના જજ ત્રુપ્તિબેન અમ્રુતલાલ ભાડજાની કોર્ટમાં ચાલ્યો હતો.સરકારી વકીલ ડી.જે.પરમારે કોર્ટ સમક્ષ ધારદાર રજુઆતો અને દલિલો કરી હતી.કોર્ટે સાક્ષીઓના નિવેદનો તથા વિવિધ પુરાવાઓને ધ્યાનમાં લઈ બંને શિક્ષિકા તરુણા પરબીયા તથા નઝમા શેખને કસુરવાર ઠેરવવાનો હુકમ કર્યો હતો.કોર્ટે બંને આરોપી મહિલા શિક્ષિકાઓને જુવેનાઈલ એક્ટની કલમ 75 અને 87 હેઠળ ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા બંને આરોપીને પાંચ પાચ હજાર એટલેકે કુલ દસ હજાર રુપીયાનો દંડ અને દંડ ન ભરેતો વધુ એક માસની સજા ઉપરાંત કલમ 323 હેઠળ કસુરવાર ઠેરવી બંને આરોપીને છ-છ માસની સજા અને દંડ ની સજાનો હુકમ કર્યો હતો.બંને આરોપી મહિલા શિક્ષિકાને તુરત જ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ ત્રુપ્તિબેન ચુકાદામાં એવી નોધ કરી હતી કે બાળકના સર્વાંગી વિકાસમાં શિક્ષકનો ફાળો મહત્વનો છે,શિક્ષકે સમાજને ગુણવાન,સંસ્કારમય અને ઉત્તમ નાગરીક બનાવવાની ભાવના સાથે ફરજ અદા કરવાની હોય છે.માતાપિતા બાળકને જન્મ જરુર આપે છે,પણ તેના ચરિત્ર્યાર્થને સાકાર આપી ઉજ્જવળ ભવિષ્ય શિક્ષક જ આપે છે.ગુરુ શિક્ષા આપે તે જરુરી છે,પણશિક્ષા ક્રુરતા ન હોવી જોઈએ.


વિદ્યાર્થીના મોઢામાં ડુચો મારી ઉંધો લટકાવી માર મારનાર બે શિક્ષિકાને જેલની સજા ફટકારતી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ

Related posts

અમદાવાદના સર્કિટ હાઉસમાં કરણી સેનાની બેઠક યોજાઈ! અયોધ્યા ખાતેના રામ મંદિર અને નારી શક્તિ વિશે મહત્વની ચર્ચા કરાઈ, કરણી સેનાના કાર્યકરોને પદભાર સોંપાયા, મેડિકલ કેમ્પ અને અન્ય સેવાકીય કાર્યો ઉપર કામ કરશે કરણી સેના

Phone: 9998685264.

રાજકોટ / કુવાડવામાં બે પરિવારને બંધક બનાવી 10.87 લાખની લૂંટ, બુકાનીધારી ગેંગે આપ્યો લૂંટને અંજામ, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

અમરેલી / સાવરકુંડલા -લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેકને ક્રોસ કરી રહેલા ચાર સિંહોને ટ્રેનના પાઈલોટે ઇમર્જન્સી બ્રેક મારી બચાવ્યા

Phone: 9998685264.

Leave a Comment