Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હે ભગવાન/ ગુજરાતમાં વધુ એક વિધાર્થીનું હાર્ટએટેક થી મોત, નવસારીમાં ધોરણ-12 નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ થયું મોત

હે ભગવાન/ ગુજરાતમાં વધુ એક વિધાર્થીનું હાર્ટએટેક થી મોત, નવસારીમાં ધોરણ-12 નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ થયું મોત

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 0

હે ભગવાન/ ગુજરાતમાં વધુ એક વિધાર્થીનું હાર્ટએટેક થી મોત, નવસારીમાં ધોરણ-12 નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ થયું મોત

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીના અવસાન ની ખબર સામે આવી છે. જેમાં નવસારી શહેરના આશા નગર વિસ્તારમાં રહેતો શાહ પરિવારનો 18 વર્ષિય ઉત્સવ શાહ જે વિદ્યાકુંજ શાળાના ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતો હતો.

અગ્રવાલ કોલેજમાં આજે તેનું આંકડાશાસ્ત્ર નું પેપર હતું. ત્યારે બપોરે એક વાગ્યાના ના અરસામાં તેના પિતાને તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારની પગ તળે થી જમીન સરકી ગઈ હતી.શહેરમાં દર્શન કોમ્પ્યુટર નામની પેઢી ચલાવતા મનોજ શાહને પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે જેમાં પુત્ર ઉત્સવની ની તબિયત આજે બપોરે લથડી હતી અને ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું હૃદય રોગના કારણે અવસાન થતાં પરિવાર સહિત સમગ્ર જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે.પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રના અવસાન બાદ તેની આંખોને દાન કરી હતી.

મોડી સાંજે આશા નગરથી તેના ઘરે સમગ્ર જૈન સમાજ ઘરે ઉમટી પડયો હતો અને તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ કલેકટર,DDO,DEO, અને શહેરના અગ્રણીઓ સહિત નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ પણ જોડાયા હતા.ગઈકાલે અમદાવાદમાં પણ બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ જ અવસાન થયેલ ફરીવાર સમગ્ર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થી નું અવસાન થયેલ નો બીજો બનાવ સામે આવ્યો છે.વિદ્યાર્થીના અવસાન પાછળ માનસિક તણાવ હતો કે શારિરીક તકલીફ હતી તે જાણી શકાયું નથી પરંતુ હાલમાં જે રીતે વિદ્યાર્થીઓ ના વર્ગખંડમાં અને ઘરે અવસાન થઈ રહ્યા છે તે એક ચિંતા ઉપજાવનારી ઘટના સામે આવી છે હાલમાં વાલીઓએ પણ પરિસ્થિતિ પારખીને વિદ્યાર્થીઓને હુંફ નું વાતાવરણ આપવું એ સમયની માંગ બનવા પામી છે.


<em>હે ભગવાન</em>/ ગુજરાતમાં વધુ એક વિધાર્થીનું હાર્ટએટેક થી મોત, નવસારીમાં ધોરણ-12 નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ થયું મોત

Related posts

અમદાવાદ / ડિવાઈન મ્યુઝિક ગ્રુપ ના સિનિયર ગાયકો દ્વારા બોલિવૂડના મહાન અને ચોકલેટી અભિનેતા સ્વ: રિશીકપૂરની યાદમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યો! કાર્યક્રમમાં અમદાવાદના સિનિયર સિટીજન, યુવાઓ, મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જુઓ વિડીયો

Ritesh Parmar

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Ritesh Parmar

અમદાવાદમાં ભક્તિનો મહાસાગર: આવતીકાલે અષાઢી બીજે નીકળશે નાથની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા, જમાલપુર મંદિર ખાતે તૈયારીઓ પૂર્ણ!

Ritesh Parmar

Leave a Comment