Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રેલ્વે પોલીસમા નોકરી કરતા કોન્સ્ટેબલનો અકસ્માતનો દાવો ખુદ રેલ્વે ટ્રીબ્યુનલે નકાર્યો! કારણ જાણી વિચારમાં પડી જશો

રેલ્વે પોલીસમા નોકરી કરતા કોન્સ્ટેબલનો અકસ્માતનો દાવો ખુદ રેલ્વે ટ્રીબ્યુનલે નકાર્યો! કારણ જાણી વિચારમાં પડી જશો

Our Visitor

009765
Total Users : 9765
Total views : 11429
Who's Online : 0

રેલ્વે પોલીસમા નોકરી કરતા કોન્સ્ટેબલનો અકસ્માતનો દાવો ખુદ રેલ્વે ટ્રીબ્યુનલે નકાર્યો! કારણ જાણી વિચારમાં પડી જશો

અહેવાલ – રીતેશ પરમાર

રેલ્વે ટ્રિબ્યુનલ અમદાવાદ સમક્ષ એક કેસ હતો જેમાં વડોદરાના રાજેશ બાગુલ સરકારી રેલ્વે પોલીસના કોન્સ્ટેબલ જે પાલેજ સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં કોન્સ્ટેબલ .નો ડાબો પગ કાપવો પડ્યો હતો. જેથી કોન્સ્ટેબલ દ્વારા અકસ્માત વીમો મેળવવા રેલ્વે ટ્રીબ્યુનલમાં 8 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. પરંતુ રેલ્વે પોલીસ અમદાવાદ ટ્રીબ્યુનલ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરાયેલા અકસ્માત વીમાના વળતરને નકારી કાઢ્યો હતો.

શુ હતો મામલો જાણો સમગ્ર વિગત..

આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર રેલ્વે ટ્રીબ્યુનલ એ પોતાના ચુકાદામા જણાવ્યું હતું કે, રેલવે પોલીસને તેમના ઓળખ કાર્ડના આધારે ટ્રેનની મુસાફરી કરવાનો અધિકાર નથી અને તેઓ ટિકિટ કે વિભાગીય અધિકૃતતા વિના ટ્રેનમાં ચઢી શકતા નથી રેલ્વે ટ્રિબ્યુનલે ચુકાદો આપતા 8 લાખના દાવાને નકારી કાઢ્યો હતો.

આ ઘટનામાં દાવો કરનાર સરકારી રેલ્વે પોલીસના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ બાગુલનો ડાબો પગ ઘૂંટણની ઉપર સુધી કાપવો પડ્યો હતો. ઇજાઓ માટે, બાગુલે રેલ્વે અધિનિયમ હેઠળ રેલ્વે પાસેથી 8 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો, જેમાં રેલ્વે સત્તાવાળાઓની બેદરકારીને કારણે મુસાફરોને વળતર આપવાની જોગવાઈ છે.

પોલીસ કોન્સ્ટેબલ બાગુલ જણાવે છે કે..

બાગુલે ટ્રિબ્યુનલ સમક્ષ રજુઆત કરી હતી કે, તે ઓફીશીયલ હેતુસર સુરત રેલ્વે પોલીસ સ્ટેશને ગયા હતા અને ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન પરત ફરી રહ્યા હતા, તે વોશરૂમમાં હતા જેથી ભરૂચ સ્ટેશન પર ઉતરવાનું ચૂકી ગયા હતા. પાછળથી તે દરવાજા પાસે ઉભા હતા ત્યારે પાલેજ સ્ટેશન પાસે અકસ્માતે ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા.

પોલીસ કોન્સ્ટેબલનો દાવો ખોટો : રેલ્વે

રેલ્વેએ દાવાને નકારી કાઢતા કહ્યું કે, હાજર રજિસ્ટરે કોન્સ્ટેબલને તે દિવસે ગેરહાજર દર્શાવ્યો હતો અને એવું લાગે છે કે તેનો બકલ નંબર પાછળથી રજિસ્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે ફરજ પર ન હતા અને મુસાફરીના દિવસે તેની પાસે વિભાગ તરફથી ટિકિટ કે અધિકૃતતા ન હતી.

પુરાવા અને રજૂઆતોમાંથી પસાર થયા પછી, ટ્રિબ્યુનલે કોન્સ્ટેબલના દાવાને ફગાવી દીધો હતો, “આ ટ્રિબ્યુનલનું માનવું હતું કે જીઆરપી કર્મચારી, ફક્ત ઓળખ કાર્ડના આધારે, કોઈપણ રીતે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકતા નથી.

ઓળખ કાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું, ફોટો ઓળખ, હસ્તાક્ષર અને કેટલાક કિસ્સાઓમાં ઉંમર અથવા ઓળખના પુરાવાના હેતુ માટે અને ચોક્કસ વ્યક્તિની ચકાસણીના હેતુ માટે બ્લડ ગ્રુપ અને ઓળખ નંબર વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આઈડી કાર્ડને કોઈપણ રીતે મુસાફરી કરવાની સત્તા તરીકે ગણી શકાય નહીં.

ટ્રિબ્યુનલે કહ્યું, ઓફિશિયલ સ્ટેટસનો ઉપયોગ કરીને ઓળખ કાર્ડ પર મુસાફરી કરી શકાશે નહિ.


રેલ્વે પોલીસમા નોકરી કરતા કોન્સ્ટેબલનો અકસ્માતનો દાવો ખુદ રેલ્વે ટ્રીબ્યુનલે નકાર્યો! કારણ જાણી વિચારમાં પડી જશો

Related posts

નેપાળ વિમાન દુર્ઘટના : પ્લેનમાં સવા૨ ભા૨તીય યુવાને અકસ્માત પહેલાનો વીડિયો ફેસબુકમાં લાઈવ ર્ક્યો નેપાળ વિમાન દુર્ઘટના પહેલાનો રુવાંટા ઉભા કરી દેતો Video Viral, 2 સેકન્ડમાં…,.

Ritesh Parmar

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે! 5 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામ સાથે અન્યાય, નોકરી, રોજગાર, વિદ્યાર્થીઓ અને અરસ પરસ વેપાર કરતા લોકોને પડે છે હાલાકી, દર્શન નાયકે પશ્ચિમ રેલ્વે મેનેજરને પત્ર લખીને ન્યાયની માંગ કરી

Ritesh Parmar

Leave a Comment