Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Our Visitor

003003
Total Users : 3003
Total views : 3680
Who's Online : 0

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

.વ્યાજખોરો વિરૂદ્વ કાર્યવાહી કરવાની ઝુબેશમાં અમદાવાદ શહેર પોલીસે એક સપ્તાહમાં ૨૮ જેટલા લોક દરબાર યોજીને ૫૦ વ્યાજખોરો વિરૂદ્વ ૨૪ ગુના નાધ્યા છે.જેમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્વ પણ ગુનો નોંધાયો છે. જેણે વાર્ષિક ૩૦ ટકાના વ્યાજે સાત લાખનું ધિરાણ કરીને નાણાં લેનાર પાસેથી ૧૪ વસુલવા માટે ધાકધમકી આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા ૫મી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો વિરૂદ્વ કાર્યવાહી કરવા માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ ડ્રાઇવ યોજવાની શરૂ કરી છે. જે અતર્ગત માહિતી આપતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગત તારીખ ૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવ્યા હતા.

જેમાં વ્યાજખોરો વિરૂદ્વ ૭૦ જેટલી અરજીઓ આવી હતી. જેમાં વિશેષ ટીમ દ્વારા તપાસ હાથ ધરીને ૫૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્વ ૨૪ ગુના નોંધવામાં આવ્યા છે અને તે પૈકી ૧૯ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે એક મહિલા પોલીસ કોસન્ટેબલ વિરૂદ્વ પણ ગુનો નોંધાયો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સુમનબેન નામની મહિલા કોન્સ્ટેબલે એક વ્યક્તિને વાર્ષિક ૩૦ ટકાના દરે સાત લાખનું ધિરાણ આપ્યું હતું અને તેની સામે તે ૧૪ લાખની રકમની માંગણી કરતી હતી. જેમાં તે ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકી પણ આપતી હતી. જેથી પિડીત વ્યક્તિ ફરિયાદ કરતા ડરતો હતો. જો કે વ્યાજખોરો વિરૂદ્વ વિશેષ ડઇવ શરૂ થતા તેણે ઉચ્ચ અધિકારીઓની મળીને અરજી આપતા ફરિયાદ નોંધવામાં આવી હતી.


પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Related posts

વિકાસ સહાય ઈન્ચાર્જમાંથી હવે કાયમી ડીજીપી બનશે? સૂત્ર યુપીએસસીની મંજૂરી

Phone: 9998685264.

સુરતમાં છેડતી મામલે વધુ એક હત્યાં, છેડતી કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા તરુણને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ

Phone: 9998685264.

ન્યૂઝીલેન્ડના આઉટ ફોર્મ બોલરનું દિમાગ ફર્યું, ભારત સામે t20 મેચમાં સિરીઝ હારી જતા કહ્યું આ સિરીઝ બે મતલબ છે

Phone: 9998685264.

Leave a Comment