Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

.વ્યાજખોરો વિરૂદ્વ કાર્યવાહી કરવાની ઝુબેશમાં અમદાવાદ શહેર પોલીસે એક સપ્તાહમાં ૨૮ જેટલા લોક દરબાર યોજીને ૫૦ વ્યાજખોરો વિરૂદ્વ ૨૪ ગુના નાધ્યા છે.જેમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્વ પણ ગુનો નોંધાયો છે. જેણે વાર્ષિક ૩૦ ટકાના વ્યાજે સાત લાખનું ધિરાણ કરીને નાણાં લેનાર પાસેથી ૧૪ વસુલવા માટે ધાકધમકી આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા ૫મી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો વિરૂદ્વ કાર્યવાહી કરવા માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ ડ્રાઇવ યોજવાની શરૂ કરી છે. જે અતર્ગત માહિતી આપતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગત તારીખ ૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવ્યા હતા.

જેમાં વ્યાજખોરો વિરૂદ્વ ૭૦ જેટલી અરજીઓ આવી હતી. જેમાં વિશેષ ટીમ દ્વારા તપાસ હાથ ધરીને ૫૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્વ ૨૪ ગુના નોંધવામાં આવ્યા છે અને તે પૈકી ૧૯ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે એક મહિલા પોલીસ કોસન્ટેબલ વિરૂદ્વ પણ ગુનો નોંધાયો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સુમનબેન નામની મહિલા કોન્સ્ટેબલે એક વ્યક્તિને વાર્ષિક ૩૦ ટકાના દરે સાત લાખનું ધિરાણ આપ્યું હતું અને તેની સામે તે ૧૪ લાખની રકમની માંગણી કરતી હતી. જેમાં તે ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકી પણ આપતી હતી. જેથી પિડીત વ્યક્તિ ફરિયાદ કરતા ડરતો હતો. જો કે વ્યાજખોરો વિરૂદ્વ વિશેષ ડઇવ શરૂ થતા તેણે ઉચ્ચ અધિકારીઓની મળીને અરજી આપતા ફરિયાદ નોંધવામાં આવી હતી.


પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Related posts

યુરોપ / આત્મહત્યા કરવા માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ, કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

Ritesh Parmar

ગાંધીનગર/ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ,
70 આઇપીએસ ની કરાઈ બદલી
અનેક જિલ્લામાં એસપી બદલાયા,
સીએમ ભુપેન્દ્ર પટેલ ની સરકાર માં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી

Ritesh Parmar

અરે.. આરોપીથી આવું તો શુ પૂછી લીધું કે પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું! હુમલો કરનાર આરોપી કોણ, SP મયુર ચાવડા હોસ્પિટલ દોડી આવ્યા, જાણો સમગ્ર મામલો….

Ritesh Parmar

Leave a Comment