
બીજેપી નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) ના ભૂતપૂર્વ પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ તેમના ટ્વિટર હેન્ડલ પર પંજાબનો એક ભયાનક વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક લોકો તલવારથી એક વ્યક્તિની આંગળીઓ કાપતા જોવા મળે છે. પીડિત વેદનાથી બૂમો પાડીને તેમની પાસે દયાની ભીખ માંગી રહ્યો છે, પરંતુ આરોપીઓ કોઈ દયા નથી દાખવતા.વીડિયો શેર કરતાં મનજિંદર સિંહ સિરસાએ લખ્યું, ‘પંજાબનો આ ભયાનક વીડિયો જોઈ શક્યો નહીં. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભયજનક બની છે. કેજરીવાલ પોતાના રાજકીય હિતો માટે પંજાબને તાલિબાન શાસન તરફ લઈ જઈ રહ્યા છે. પંજાબ પોલીસ, શું તમે સક્રિય છો?

મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના 9 ફેબ્રુઆરી 2023ના રોજ પંજાબના સાહિબજાદા અજીત સિંહ (એસએએસ) નગરમાં બની હતી. આ સંદર્ભે પોલીસ સ્ટેશન PH-1, જિલ્લા SAS નગર ખાતે કલમ 326, 365, 379B, 34 IPC અને 25 આર્મ્સ એક્ટ હેઠળ પહેલેથી જ FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, ‘આ પરસ્પર દુશ્મનીનો મામલો છે. ગુનેગારોની ઓળખ કર્યા બાદ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.





Total Users : 3001
Total views : 3678
Who's Online : 0