
અહેવાલ – સૌરવ ઘાંઘેકર / આકાશ સીસોદીયા
અમદાવાદ શહેરના છેવાડે આવેલા સરખેજ માંથી ચોકાવનારી વિગત સામે આવી રહી છે. જેમાં જમીનની અદાવતમાં 80 થી 100 જેટલા માણસોનું ટોળું હથિયારો સાથે ઘસી આવ્યું હતું. અને આ ટોળામાંથી 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ધોળા દિવસે ખુલ્લેઆમ ધડાધડ ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગેની જાણ સરખેજ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. અને ત્યારબાદ પોલીસે આતંક મચાવનાર ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ, હત્યા, અને રાઇટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.લોકોમાં પોલીસનો હવે ડર રહ્યો નથી. અનેક વિસ્તારો એવા છે જ્યા ભાઇગીરી કરતા લોકોના ત્રાસ વધી ગયો છે જેને કારણે સામાન્ય નાગરિકોને ડરીને રહેવું પડે છે. પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક પગલા ભરવા જોઇએ. સરખેજમાં જમીન અદાવતમાં કરાયેલા ધડાધડ ફાયરિંગની ઘટનાએ વિસ્તારમાં ભય ફેલાવ્યો છે ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી તેમની સામે કડક પગલા લેવા જોઇએ અને શહેરમાં ફરી શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થીતી જાળવાય તેવી માંગ ઉઠી છે. શહેરમાં તહેવારોના સમયે જ આ પ્રકારની ગુનાખોરી વધતાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે.






Total Users : 9766
Total views : 11432
Who's Online : 0