Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2616

અહેવાલ – સૌરવ ઘાંઘેકર / આકાશ સીસોદીયા

અમદાવાદ શહેરના છેવાડે આવેલા સરખેજ માંથી ચોકાવનારી વિગત સામે આવી રહી છે. જેમાં જમીનની અદાવતમાં 80 થી 100 જેટલા માણસોનું ટોળું હથિયારો સાથે ઘસી આવ્યું હતું. અને આ ટોળામાંથી 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ધોળા દિવસે ખુલ્લેઆમ ધડાધડ ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગેની જાણ સરખેજ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. અને ત્યારબાદ પોલીસે આતંક મચાવનાર ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ, હત્યા, અને રાઇટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.લોકોમાં પોલીસનો હવે ડર રહ્યો નથી. અનેક વિસ્તારો એવા છે જ્યા ભાઇગીરી કરતા લોકોના ત્રાસ વધી ગયો છે જેને કારણે સામાન્ય નાગરિકોને ડરીને રહેવું પડે છે. પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક પગલા ભરવા જોઇએ. સરખેજમાં જમીન અદાવતમાં કરાયેલા ધડાધડ ફાયરિંગની ઘટનાએ વિસ્તારમાં ભય ફેલાવ્યો છે ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી તેમની સામે કડક પગલા લેવા જોઇએ અને શહેરમાં ફરી શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થીતી જાળવાય તેવી માંગ ઉઠી છે. શહેરમાં તહેવારોના સમયે જ આ પ્રકારની ગુનાખોરી વધતાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

Related posts

SAVE HUMINITY / અમદાવાદમાં દીકરીઓને સ્વરક્ષણ બાબતે અપાઈ તાલીમ! મુસીબતના સમયમાં કેવી રીતે કરવો રક્ષણ તેના માટે સેમિનાર યોજાયો, હવે ફરી વખત નિર્ભયા કે ગ્રીષ્મા હત્યાંકાંડ નથી બનવા દેવું : પૂનમ પાંચાણી

Phone: 9998685264.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Phone: 9998685264.

સુરત / ઓલપાડ તાલુકાના ગામ સેગવા-વસવારીમાં ગ્રામજનોની દયનિય સ્થિતિ! ગામમાં નથી સ્ટ્રીટ લાઈટો કે પાણી આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ, ગ્રામજનોને તાત્કાલિક તમામ સુવિધા મળે તે માટે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન, સમસ્યાઓનું નિરાકરણ જલ્દ ના કરાય તો થશે દેખાવો: દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment