Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Our Visitor

009898
Total Users : 9898
Total views : 11585
Who's Online : 3

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ચોરી, લૂંટ અને હત્યાના બનાવો દિનપ્રતિદિન વધતાં જઈ રહ્યા છે. તસ્કરો ભગવાનના ઘર “મંદિરો”ને પણ નિશાન બનાવવાનું ચુકતા નથી ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ આવા બનાવો વધ્યા છે. આજરોજ સવારે આમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરમાં દાનપેટી તોડી રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સવારે મંદિરના પુજારીએ જોતા અંદરનો સમાન વેરવિખેર પડ્યો હતો. અંદર આવી જોતા દાનપેટી તૂટેલી હાલતમા જોવા મળી હતી. જેથી મહારાજે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ મંદિર ખાતે આવી પહોંચી હતી. આજુબાજુ તપાસ કરી બાદમા સીસીટીવી ફૂટેજ ચેક કરી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મંદિરના ટ્રસ્ટી અજયભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર સંજોગોવસાત દસ દિવસ પહેલા જ દાનપેટીમાના પૈસા કાઢી લઇ બેંકમા જમા કરાવી દીધા હતા જેથી ચોરી કરનારના હાથમાં એક હજાર રૂપિયા જ આવ્યા હતા. મંદિરમાં સોના-ચાંદીના દાગીનાઓ પણ છે જો કે તેને કોઈ નુકસાન થયેલ નથી.


સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Related posts

અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, નવા પોલીસ કમિશ્નરને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો

Ritesh Parmar

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Ritesh Parmar

Leave a Comment