Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Our Visitor

009865
Total Users : 9865
Total views : 11544
Who's Online : 1

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ચોરી, લૂંટ અને હત્યાના બનાવો દિનપ્રતિદિન વધતાં જઈ રહ્યા છે. તસ્કરો ભગવાનના ઘર “મંદિરો”ને પણ નિશાન બનાવવાનું ચુકતા નથી ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ આવા બનાવો વધ્યા છે. આજરોજ સવારે આમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરમાં દાનપેટી તોડી રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સવારે મંદિરના પુજારીએ જોતા અંદરનો સમાન વેરવિખેર પડ્યો હતો. અંદર આવી જોતા દાનપેટી તૂટેલી હાલતમા જોવા મળી હતી. જેથી મહારાજે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ મંદિર ખાતે આવી પહોંચી હતી. આજુબાજુ તપાસ કરી બાદમા સીસીટીવી ફૂટેજ ચેક કરી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મંદિરના ટ્રસ્ટી અજયભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર સંજોગોવસાત દસ દિવસ પહેલા જ દાનપેટીમાના પૈસા કાઢી લઇ બેંકમા જમા કરાવી દીધા હતા જેથી ચોરી કરનારના હાથમાં એક હજાર રૂપિયા જ આવ્યા હતા. મંદિરમાં સોના-ચાંદીના દાગીનાઓ પણ છે જો કે તેને કોઈ નુકસાન થયેલ નથી.


સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Related posts

દહેગામ નજીક કંથારપુરાના આર્મી જવાનનું મધ્યપ્રદેશમાં નિધન
જવાનને આખરી સલામી આપવા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા

Ritesh Parmar

તાપી જિલ્લામાં મિઢોંણાં નદી ઉપર નવ નિર્મિત બ્રિજ તૂટવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કસૂરવાર સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવા માંગ કરતા કોંગ્રેસના નેતા : દર્શન નાયક

Ritesh Parmar

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment