Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

છારાનગર પોલીસ દમન કેસ મામલો

છારાનગર પોલીસ દમન કેસ મામલો

Our Visitor

003003
Total Users : 3003
Total views : 3680
Who's Online : 0

IPS અશોક યાદવ-સ્વેતા શ્રીમાળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી

ફરિયાદી આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ:28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી

છારાનગર પોલીસ દમન કેસ મામલો
ફરિયાદી આતીશ ઇન્દ્રેકર સાથે એડવોકેટ જયેન્દ્ર અભવેકર

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ.તા.22

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છારાનગરમાં વર્ષ 2018માં પાંચસો જેટલા પોલીસોએ નિર્દોષ લોકોને ઘર માંથી બહાર કાઢી માર મારી વાહનોની તોડફોડ કરવાના ચકચારી કેસમાં આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડીયાએ જે તે સમયના સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવ,ઝોન 4 ડી.સી.પી.સ્વેતા શ્રીમાળી અને પી.આઈ. રાધે વિરાની સહિત પાંચ પોલીસ અધિકારીઓની સામે ફરિયાદ નોંધી સમન્સ જારી કરવાનો હુકમ કર્યો છે.

બનાવની હકીકત એવી છે કે,ગઈ તા.26/7/2018ના દિવસે પી.એસ આઈ. ડી.કે .મોરીએ એવું કંટ્રોલ મેસેજ કર્યો હતો કે,છારાનગરમાં દારૂની રેડ કરતા લોકોએ માર માર્યો છે.આ મામલે સેક્ટર 2 અશોક યાદવે પોતાના તાબાના પોલીસ મથકના પોલીસ કર્મીઓને લોકોને ફટકારવાનો ખુલ્લો દોર આપ્યો હતો.જેમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક પોલીસ કર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હતા.આ પોલીસ અધિકારીઓએ પોતાની સત્તા બહાર જઈ નિર્દોષ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યા હતા.ઘરની બહાર વાહનો પાર્ક કરેલાની તોડ ફોડ કરી 29 લોકોની ધરપકડ પણ કરી હતી.આ બનાવ વખતે ફરિયાદી આતિષ ઇન્દ્રેકરને પોલીસે ખોટી રીતે માર મારી વાહનોની તોડફોડ કરી હતી.તેમને મેટ્રો કોર્ટમાં સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવ,ડી.સી.પી. સ્વેતા શ્રીમાળી ,સરદારનગરના પી.આઈ. રાધે વિરાની,પી.એસ. આઈ. ડી.કે.મોરી ,જે.જી.ધીલ્લોન સામે ખાનગી ફરિયાદ કરી હતી.ફરિયાદી તરફે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર હાજર રહ્યા હતા.તેમને એવી રજુઆત કરી હતી કે,પોલીસ અધિકારીઓ પોતાની સત્તાની બહાર નો કૃત્ય કર્યો છે.જેથી તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધી સમન્સ જારી કરવા માંગ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફરિયાદ નોંધી સમન્સ જારી કર્યા છે.આ મામલે 28મી જાન્યુઆરી એ વધુ સુનાવણી હાથ ધરાશે.


છારાનગર પોલીસ દમન કેસ મામલો

Related posts

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યાં નીપજાવી નાસી છૂટેલા ત્રણ આરોપીઓ ને ઝોન 5 DCP ના LCB સ્કોડે ઝડપી પાડ્યા

Phone: 9998685264.

પતંગના દોરાથી વાહન ચાલકોનું જીવ ના જોખમાય તેના માટે રોડ સેફટી કાર્યક્રમ યોજાયો, yi (યંગ ઇન્ડિયન ) સંસ્થા દ્વારા દ્વિ ચક્રી વાહન ચાલકોને મફતમાં સેફટીગાર્ડ લગાવવામાં આવ્યા, અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડિસિપીએ હાજર રહી સાવચેતી માટે સલાહ સૂચન આપ્યા

Phone: 9998685264.

ઝાલોદમાં પોલીસ કોન્સ્ટેબલની કરતૂતથી ગુજરાત પોલીસ શરમમાં મુકાઈ, પોલીસે બોલેરો કારમાંથી 1.54 લાખનો દારૂ ઝડપી પાડ્યો, પોલીસ કોન્સ્ટેબલ કરી રહ્યો હતો પાયલોટિંગ, ગુનો નોંધાયો

Phone: 9998685264.

Leave a Comment