Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્ય સરકારે કરેલા કૃષિ રાહત પેકેજ થી સુરતના ખેડૂતો નારાજ!
કૃષી રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ,કામરેજ, પલસાણાના ખેડૂતો સાથે અન્યાય, રાહત આપવા માંગ કરતા દર્શન નાયક

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2341

ચાલુ વર્ષમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખરીફ પાકમાં થયેલા નુકસાની માટેનું જે કૃષિ રાહત પેકેટ જાહેર કર્યું છે તેમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ, કામરેજ, પલસાણા તાલુકાના ખેડૂતોને બાકાત રાખી આ ગુજરાત સરકારે ખેડૂતો સાથે ભારે અન્યાય કર્યો છે.

ચાલુ વર્ષના ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના તમામ તાલુકાના ગામોના ખેડૂતોને ઓછેવત્તે ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. નુકસાની માટે રાહત આપવા ખેડૂત સમાજે વારંવાર સરકારમાં રજૂઆત કરી કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી. પરંતુ રાજ્યની સરકાર દ્રારા સર્વેના નામે કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનું ટાળતી હતી, પરંતુ જેવા ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવાનું નક્કી કર્યું કે, તુરંત જ ભાજપ સરકારે ખેડૂતોને વ્હાલા થવા માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે.

ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા : દર્શનભાઈ નાયક

આજ કૃષિ રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ કામરેજ, પલસાણામાં ખેડૂતોને ખરીફ પાકને થયેલા નુકસાનીમાં રાહત આપવામાં જાહેર કરાયેલા રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓલપાડ સહિતના પાંચેય તાલુકાના ખેડૂતોની સાથે ભાજપની સરકારે અન્યાય કર્યો છે.ચાલુ વર્ષે ચોમાસામાં ઓલપાડ સહિતના આ પાંચેય તાલુકાના ગામોમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવા છતાં પણ સરકાર દ્વારા આ નુકસાનીને અનદેખી કરવામાં આવી છે. જેથી સહાય માંથી બાકાત રખાયેલા ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ, કામરેજ, પલસાણા તાલુકાના ગામોમાં જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય તેઓનો પણ સમાવેશ આ કૃષિ રાહત પેકેજમાં કરવામાં આવે તો ખેડૂતોને ઘણા અંશે લાભ થઈ શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્ય સરકારે કરેલા કૃષિ રાહત પેકેજ થી સુરતના ખેડૂતો નારાજ!<br>કૃષી રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ,કામરેજ, પલસાણાના ખેડૂતો સાથે અન્યાય, રાહત આપવા માંગ કરતા દર્શન નાયક

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિક્લેર થવાની તૈયારી! લગભગ 1 નવેમ્બર પછી જાહેર થશે તારીખ, ઓલપાડમાં કોંગ્રેસના દર્શન નાયકની આગેવાનીમાં ધમાકેદાર તૈયારીઓ, જીતના મજબૂત દાવા સાથે ઘેર ઘેર પ્રચાર અને વચન પત્રિકાની વહેંચણી

Phone: 9998685264.

સુરત જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી અને 108 તરીકે ઓળખાતા લોકોના સમાજ સેવક જીગ્નેશ મોદી પક્ષ પલ્ટો કરે તેવી શક્યતા?

Phone: 9998685264.

અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

Phone: 9998685264.

Leave a Comment