
ચાલુ વર્ષમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખરીફ પાકમાં થયેલા નુકસાની માટેનું જે કૃષિ રાહત પેકેટ જાહેર કર્યું છે તેમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ, કામરેજ, પલસાણા તાલુકાના ખેડૂતોને બાકાત રાખી આ ગુજરાત સરકારે ખેડૂતો સાથે ભારે અન્યાય કર્યો છે.
ચાલુ વર્ષના ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના તમામ તાલુકાના ગામોના ખેડૂતોને ઓછેવત્તે ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. નુકસાની માટે રાહત આપવા ખેડૂત સમાજે વારંવાર સરકારમાં રજૂઆત કરી કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી. પરંતુ રાજ્યની સરકાર દ્રારા સર્વેના નામે કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનું ટાળતી હતી, પરંતુ જેવા ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવાનું નક્કી કર્યું કે, તુરંત જ ભાજપ સરકારે ખેડૂતોને વ્હાલા થવા માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે.

આજ કૃષિ રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ કામરેજ, પલસાણામાં ખેડૂતોને ખરીફ પાકને થયેલા નુકસાનીમાં રાહત આપવામાં જાહેર કરાયેલા રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓલપાડ સહિતના પાંચેય તાલુકાના ખેડૂતોની સાથે ભાજપની સરકારે અન્યાય કર્યો છે.ચાલુ વર્ષે ચોમાસામાં ઓલપાડ સહિતના આ પાંચેય તાલુકાના ગામોમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવા છતાં પણ સરકાર દ્વારા આ નુકસાનીને અનદેખી કરવામાં આવી છે. જેથી સહાય માંથી બાકાત રખાયેલા ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ, કામરેજ, પલસાણા તાલુકાના ગામોમાં જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય તેઓનો પણ સમાવેશ આ કૃષિ રાહત પેકેજમાં કરવામાં આવે તો ખેડૂતોને ઘણા અંશે લાભ થઈ શકે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0