Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

Our Visitor

009762
Total Users : 9762
Total views : 11426
Who's Online : 2

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ચોરી-લુંટફાટની અનેક ઘટનાઓ રાજ્યમાંથી અવારનવાર સામે આવતી હયો છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પરનાં કલ્યાણ બંગ્લોઝમાં રહેતી પરિણીતા 2 બાળકોની સાથે કચ્છમાં આવેલ આદિપુરમાં SBI બેંકમાં નોકરી કરતા તેમજ ત્યાં રહેતા પતિને મળવા માટે ગઈ હતી.

આ સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ 12,000 ની રકમ સહિત અનેકવિધ સોના-ચાંદીના ઘરેણાં મળીને કુલ 2,91,250 રૂપિયાની મતાના મુદ્દામાલની ચોરી કરીને ભાગી જતા પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પાડોશીએ ચોરી થઈ હોવાની જાણ કરી:
શહેરમાં આવેલ વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પરનાં કલ્યાણ બંગ્લોઝમાં પલ્લવીબેન પંકજકુમાર સિંઘ 2 બાળકોની સાથે રહે છે. જયારે પતિ પંકજકુમાર આદિપુર, કચ્છની SBI બેંકમાં નોકરી કરે છે તેમજ ત્યાં જ રહે છે. 26 જુલાઈએ તેઓ પોતાના મકાનમાં લોક મારીને બંનેની બાળકો સાથે આદિપુર રહેતા પતિ પાસે રહેવા ગયા ત્યારે 21 ઓગસ્ટે સવારનાં 12.30 વાગ્યે પડોશીએ ફોન કરી કહ્યું હતું કે, તમારા મકાનના સ્ટીલના દરવાજાને લોક તૂટેલું છે તથા દરવાજો ખુલ્લો છે.

મકાનમાંથી રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાયા:
પલ્લવીબેન તાત્કાલિક પરિવારની સાથે વડોદરા પહોંચી ગયા હતા. વડોદરા આવતાની સાથે જ તેઓને મકાનના સ્ટીલના દરવાજાને મારેલ લોક તૂટેલું તથા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેને કારણે તેઓએ મકાનમાં જઇને તપાસ કરતા મકાનમાંથી રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાઈ આવ્યા હતા તેમજ ઘરનો સમાન વેરવિખેર જોવા મળ્યો હતો.

અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ:
કબાટમાં વધારે તપાસ કરતા રોકડ રકમ 12,000 રૂપિયા સહિત અનેકવિધ સોનાચાંદીના ઘરેણાં મળીને કુલ 2,91,250 રૂપિયાની મતાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી કે, જેથી તેણીએ બનાવ અંગેની પાણીગેટ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

Related posts

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર દારૂ-જુગારની બદી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે બોલાવ્યો સપાટો! બુટલેગર અને જુગારના સંચાલકોમાં ફફડાટ ફેલાયો! દારૂના 118 તેમજ જુગારના 47 ગુના નોંધી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ritesh Parmar

મોરબીમાં બુટલેગરોની ખુલ્લી દાદાગીરી! અરજી કરનાર પરિવારને કહ્યું થાય તે કરીલો દારૂ તો વેચાશે, વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશ! બુટલેગરો વિરુદ્ધ જિલ્લા પોલીસવડા ને ફરિયાદ અપાઈ

Ritesh Parmar

બોટાદ લઠ્ઠાકાંડ મામલો / નાવડા ગ્રામ પંચાયતની દારૂ બંધી માટે અનોખી પહેલ! ઢોલ દ્વારા ઢંઢેરો પીટી ગ્રામજનોને ચેતવણી આપી, ગામમાં કોઈ દારૂ પિતા કે વેચતા પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ કરાશે, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment