Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ચોરી-લુંટફાટની અનેક ઘટનાઓ રાજ્યમાંથી અવારનવાર સામે આવતી હયો છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પરનાં કલ્યાણ બંગ્લોઝમાં રહેતી પરિણીતા 2 બાળકોની સાથે કચ્છમાં આવેલ આદિપુરમાં SBI બેંકમાં નોકરી કરતા તેમજ ત્યાં રહેતા પતિને મળવા માટે ગઈ હતી.

આ સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ 12,000 ની રકમ સહિત અનેકવિધ સોના-ચાંદીના ઘરેણાં મળીને કુલ 2,91,250 રૂપિયાની મતાના મુદ્દામાલની ચોરી કરીને ભાગી જતા પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પાડોશીએ ચોરી થઈ હોવાની જાણ કરી:
શહેરમાં આવેલ વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પરનાં કલ્યાણ બંગ્લોઝમાં પલ્લવીબેન પંકજકુમાર સિંઘ 2 બાળકોની સાથે રહે છે. જયારે પતિ પંકજકુમાર આદિપુર, કચ્છની SBI બેંકમાં નોકરી કરે છે તેમજ ત્યાં જ રહે છે. 26 જુલાઈએ તેઓ પોતાના મકાનમાં લોક મારીને બંનેની બાળકો સાથે આદિપુર રહેતા પતિ પાસે રહેવા ગયા ત્યારે 21 ઓગસ્ટે સવારનાં 12.30 વાગ્યે પડોશીએ ફોન કરી કહ્યું હતું કે, તમારા મકાનના સ્ટીલના દરવાજાને લોક તૂટેલું છે તથા દરવાજો ખુલ્લો છે.

મકાનમાંથી રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાયા:
પલ્લવીબેન તાત્કાલિક પરિવારની સાથે વડોદરા પહોંચી ગયા હતા. વડોદરા આવતાની સાથે જ તેઓને મકાનના સ્ટીલના દરવાજાને મારેલ લોક તૂટેલું તથા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેને કારણે તેઓએ મકાનમાં જઇને તપાસ કરતા મકાનમાંથી રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાઈ આવ્યા હતા તેમજ ઘરનો સમાન વેરવિખેર જોવા મળ્યો હતો.

અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ:
કબાટમાં વધારે તપાસ કરતા રોકડ રકમ 12,000 રૂપિયા સહિત અનેકવિધ સોનાચાંદીના ઘરેણાં મળીને કુલ 2,91,250 રૂપિયાની મતાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી કે, જેથી તેણીએ બનાવ અંગેની પાણીગેટ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


વડોદરાના વાઘોડિયા ડભોઈ રીંગરોડ પર આવેલા બંધ બંગ્લોઝ માંથી 2.91 લાખના મુદ્દામાલની થઈ ચોરી, તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ શરુ,

Related posts

નવરાત્રી ગરબાના આયોજકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે! પંડાલમાં પ્રવેશ કરવા આપવા પડે છે 500 થી 1500 રૂપિયા, GST કમિશ્નર ને આવેદનપત્ર આપી ટેક્સ વસુલ કરવા દર્શન નાયકે કરી રજુઆત

Phone: 9998685264.

ડાંગ/ દિવાળી વેકેશન બાદ શાળા શરુ થયાના પહેલા જ દિવસે ધોરણ 11 માં ભણતા વિધાર્થીએ શાળામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ખળબળાટ મચ્યો

Phone: 9998685264.

સુરત / કામરેજ અને ઓલપાડને ગ્રામ્ય પોલીસની જગ્યાએ સુરત શહેર પોલીસ તાબા હેઠળ લેવા ભલામણ! ચોરી, લૂંટફાટ, અને ટ્રાફિકની સમસ્યા વધતા અલગથી પોલીસ સ્ટેશન બનાવવા માંગ, લોકહિતમાં નિર્ણય લેવા મુખ્યમંત્રી પાસેથી માંગણી કરતા દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment