Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોરબીમાં બુટલેગરોની ખુલ્લી દાદાગીરી! અરજી કરનાર પરિવારને કહ્યું થાય તે કરીલો દારૂ તો વેચાશે, વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશ! બુટલેગરો વિરુદ્ધ જિલ્લા પોલીસવડા ને ફરિયાદ અપાઈ

મોરબીમાં બુટલેગરોની ખુલ્લી દાદાગીરી! અરજી કરનાર પરિવારને કહ્યું થાય તે કરીલો દારૂ તો વેચાશે, વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશ! બુટલેગરો વિરુદ્ધ જિલ્લા પોલીસવડા ને ફરિયાદ અપાઈ

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

મોરબીમાં બુટલેગરોની ખુલ્લી દાદાગીરી! અરજી કરનાર પરિવારને કહ્યું થાય તે કરીલો દારૂ તો વેચાશે, વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશ! બુટલેગરો વિરુદ્ધ જિલ્લા પોલીસવડા ને ફરિયાદ અપાઈ

દેશી દારૂની ભઠ્ઠી ચાલુ રહેશે, દારૂનું વેચાણ પણ થશે ?
જે થાય તે કરી લેવું: મોરબીમાં બુટલેગરનો હુંકાર, ખાખીને ચેલેન્જ

મોરબી શહેરમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવીને દેશીદારૂનો બેફામ વેપાર કરનારા ચાર શખ્સોને સ્થાનિક લોકો દ્વારા દેશી દારૂની ભઠ્ઠી બંધ કરીને વેચાણ બંધ કરવા માટે કહેવામા આવ્યું હતું ત્યારે તે શ્ખ્સોએ દેશી દારૂની ભઠ્ઠી ચાલુ રહેશે અને વેચાણ ચાલુ રહેશે તમારાથી જે થાય તે કરી લેવું તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને તે વિસ્તારમાં રહેતા ૨૦ થી વધુ પરિવારના મહિલા સહિતના લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને હાલમાં દેશી દારૂની ભઠ્ઠી અને દેશી દારૂનું વેચાણ બંધ કરવા માટે માંગ કરવામાં આવી હતી અને અગાઉ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ અસરકારક કામગીરી કરવામાં ન આવી હતી જેથી કરીને હાલમાં પણ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ મફતીયા પરા વિસ્તારમાં રહેતા સુરેલા હેમંતભાઈ ઘોઘાભાઈ , છનાભાઈ દેવાભાઈ કારૂ સહિતના તે વિસ્તારની અંદર રહેતા ૨૦થી વધુ પરિવારના મહિલા સહિતના લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને એસપીને લેખિત રજૂઆત કરીને તેઓના વિસ્તારમાં ઉરેશ ભગાભાઈ કોળી, લાલો ભગાભાઇ કોળી, અજય કોળી અને ઉરેશભાઈ કોળી અને ભાવેશ ઉરેશભાઈ કોળી નામના ચાર વ્યક્તિઓ દ્વારા સર્કિટ હાઉસ સામેના વાડી વિસ્તારમાં તેઓના ઘર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવીને દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને દેશી દારૂનું વેચાણ અને ભઠ્ઠી બંધ કરવા માટે સ્થાનિક લોકોએ તેને કહ્યું હતું પરંતુ તે સમયે આ ચારેય શખ્સો દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ચાલુ જ રહેશે તમારાથી જે થાય તે કરી લેવું અને તમારામાંથી કોઈ મને બીજી વખત ક્યારે મળશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી.

જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા જિલ્લા પોલીસ વડાને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દેશીદારૂનો વેચાણ કરનારા તેમજ ભઠ્ઠી ચલાવનારા ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાથી ત્યાં દેશી દારૂ લેવા અને પીવા માટે આવતા આવારાતત્વો દ્વારા ગાળો બોલવામાં આવતી હોય છે તેમજ બેન દીકરીઓની સલામતી સામે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે જેથી કરીને દેશી દારૂની ભઠ્ઠી અને વેચાણ બંધ કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે માત્ર બે દિવસ દેશી દારૂનું વેચાણ અને ભઠ્ઠી પછી બંધ રહ્યા હતા પછી પાછી દારૂની ભઠ્ઠી અને વેચાણ ચાલુ થઈ ગયું છે જેથી તે વિસ્તારની અંદર રહેવુ લોકો માટે મુશ્કેલ બની ગયું છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા દેશી દારૂની ભઠ્ઠી અને વેચાણ સર્કીટ હાઉસની સામેના ભાગમાં આવેલા મફતીયા પરામાં બંધ કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.


<em>મોરબીમાં બુટલેગરોની ખુલ્લી દાદાગીરી! અરજી કરનાર પરિવારને કહ્યું થાય તે કરીલો દારૂ તો વેચાશે, વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશ! બુટલેગરો વિરુદ્ધ જિલ્લા પોલીસવડા ને ફરિયાદ અપાઈ</em>

Related posts

IPL 2022 / શાહરુખની ટીમમાં 20 લાખમાં ખરીદેલો પંજાબનો ખેલાડી રમેશ કુમાર છે ધાકડ બેટ્સમેન, માત્ર 10 બોલમાં ફ્ટકાર્યા હતા 50 રન

Ritesh Parmar

સુરત જિલ્લામાં કોરોના કાળમાં ફાળવેલી ૪.૨૧ કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટની તપાસની માગ!
અનેક કર્મચારીઓને નાણા ન મળ્યાની રાવ, સમગ્ર મામલે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના

Ritesh Parmar

સરકારી તિજોરીને કરોડોનું નુકશાનઃ પટ્ટેદારો દ્વારા લાયસન્સ રિન્યુ કરાયા નથી !!વર્ષ 23-24માં ઝીંગા તળાવ પેટે સરકારને ફુટી કોડી પણ મળી નથી:દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment