Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા એટલી હદે વધી રહી છે કે, હવે દિન પ્રતિદિન સામાન્ય બની ગઇ છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો પશુપાલકો હુમલો કરવા સાથે પશુઓને મુક્ત કરાવી જાય છે. જોકે આ બધામાં નિર્દોષ પ્રજા ભોગ બને છે.ત્યારે વડોદરાના માણેજા વિસ્તારમાં એક વૃદ્ધા પર ગાયે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાના મોતથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ઢોર પાર્ટીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

જુઓ વિડીયો

બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા અને ગાયને વૃદ્ધાથી દૂર કરી હતી. સ્થાનિકોએ અહીંના પશુપાલકો પર આકરા આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, અહીં ગાયોનો ત્રાસ ઘણા સમયથી છે. મોડી રાત્રે આવીએ, ત્યારે પણ ગાયો રખડતી હોય છે. આ પહેલા પણ એક વ્યક્તિ પર ગાયે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બાળકોને લઇને રસ્તા પરથી પસાર થઇએ, ત્યારે રખડતી ગાયો જોઈ ખૂબ ડર લાગે છે.

દરમિયાન આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે. જોકે, આ ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું છે, મૃતદેહને પોસમોટમ અર્થે મોકલી ગાયો ના માલિકોને શોધવાની કામગીરી હાથધરી છે..


વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Related posts

સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક

Phone: 9998685264.

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા,જુઓ મહાત્મા ગાંધીના જીવન ચરિત્રની લેખા જોખા

Phone: 9998685264.

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment