
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સુરત શહેરમાં એક ધાર્મિક લાગણી દુભાવતા તો એક સંતનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી ને લઈને ખુબજ વિવાદી ટિપ્પણીઓ કરી હતી. સ્વામિનારાયણના સંત માતાજીના જુના ઇતિહાસને ખોટો સાબિત કરીને માતાજીના ભક્તો ની લાગણી દુભાવી હતી.
તેના કારણે સંત ની સામે ભક્તો ભારે રોષે ભરાયા હતા.
એટલું જ નહિ પરંતુ માતાજીનું અપમાન કરનાર સ્વામીને લોકો દ્વારા મેથીપાક પણ આપવામાં આવ્યો હતો. માતાજીને સ્વર્ગની અપ્સરા જેમ ખોટી રીતે ઈતિહાસ રજૂ કરીને માતાજીને અપમાનિત કર્યા હતા.
સંત સુરતના છે તેવી ભક્તો ને જાણ થતા ભક્તો મંદિરે જઈને માતાજીની ઉપર વિવાદીત ટિપ્પણી કરતા સંત ને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સંતે પોતાની વિવાદિત ટિપ્પણીઓને લઈને માફી માંગી હતી અને વિડિયો પણ ડીલીટ કર્યો હતો. ભક્તો દ્વારા સંતને મંદિરની અંદર મેથીપાક ચખાડવામાં આવ્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ભક્તોએ મંદિરની અંદર ઘૂસીને સંત ને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ ત્યાં સમાજના લોકો ભેગા થતાં મામલો શાંત પડ્યો હતો. આ વીડિયોને લઈને હજુ પણ ઘણા લોકો ખૂબ જ રોષે ભરાયા છે






Total Users : 9769
Total views : 11438
Who's Online : 0