
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાતનાં ઉભરતા અને આશાવાદી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેકના હુમલા થી નિધન થઈ જતા સમગ્ર પંથક શોકમગ્ન બની ગયું છે. આ ખેલાડી તેમના કેરિયરની બેસ્ટ પીક પર હતા. અને તેમનું અવસાન થતાં સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું અવસાન થયું છે.
સૌરાષ્ટ્ર રણજી ટીમના વિકેટ કિપર અને ધુંઆધાર બેટ્સમેનનું 29 વર્ષની વયે નિધન થયું છે. તેમને રાત્રે હાર્ટ એટેક આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અવિ બારોટ મૂળ અમદાવાદના વતની હતા અને તેઓ આગામી આઈપીએલની સીઝનમાં મેદાને ઉતરવા માટે તૈયારી પણ કરી રહ્યા હતા.
આ આઘતજનક સમાચારથી સૌરાષ્ટ્રભરના ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મહત્વનું છે કે ગત સપ્તાહમાં જ તેમણે ગુજરાતની ટીમ સામે રમતા રણજી ટ્રોફી મેચમાં 45 બોલમાં 72 રન ફટકાર્યા હતા. તેઓ સૌરાષ્ટ્રના ધુંઆધાર બેટ્સમેન હતા. તેઓ બેટ્સમેન સાથે વિકેટ કિપર પણ હતા. ગત વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તેમણે ગોવા વિરુદ્ધ ફક્ત 37 બોલમાં 122 રન ફટકાર્યા હતા.







Total Users : 9824
Total views : 11503
Who's Online : 0