Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

મહાત્મા ગાંધીજીનાં ગુજરાત રાજયમાં નશાબંધીનો કાયદો અમલમાં છે અને આ કાયદો અમલમાં હોવા છતાં આપણે વર્તમાનપત્રોમાં જોઈએ છીએ કે પુષ્કળ પ્રમાણમાં દારૂ વેચાઈ અને પકડાય છે.ઓલપાડ તાલુકો પણ એમાંથી બાકાત નથી.ઓલપાડ તાલુકામાં ગામે ગામ અનેક જગ્યાએ ખુલ્લામાં દારૂનો વેચાણ થઈ રહયો છે.નશો કરવાનાં કારણે અનેક બહેનોએ પોતાનો પતિ તથા માતાઓએ પોતાના પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.ઓલપાડ તાલુકામાં ડ્રગ્સ પણ અગાઉનાં સમયમાં પકડાયું હતું તથા હજુ પણ અનેક જગ્યાએઁ ડ્રગ્સનું વેચાણ થઈ રહયું હોવાની શંકા છે.ઓલપાડ તાલુકામાં ચોરી અને લુટફાટની ઘટનાઓ પણ વારંવાર સામે આવી રહી છે.પોલીસની ગુનાઓ પ્રત્યે ઢીલી નિતીને કારણે ગુનેગારો ને પોલીસનો ધાક હોવાની જગ્યાએ ખુલ્લામાં ગુનાઓ કરવા મોકળું મેદાન મળી રહયું છે.જેથી ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ઓલપાડ તાલુકાનાં નાગરીકોનાં સ્વાસ્થય , સુરક્ષા અને સલામતિ માટે આપને આ આવેદનપત્ર દ્વારા દારૂ અને અન્ય ડ્રગ્સ કે કેફી પદાર્થનાં વેચાણ કે વપરાશ ઉપર કાબુ મેળવાનાં કાયદાનો કડક અમલ કરવાની જરૂર છે.અમો આપશ્રી પાસે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.


ઓલપાડ તાલુકામાં સૌથી વધુ વખત ગુજરાતની સ્ટેટ વિજિલન્સે દરોડા કરી ઘણા પોલિસ અધિકારઓને સસ્પેન્ડ કર્યા છે. દારૂ ના અડ્ડા ચલાવનારાઓ વિરુધ્ધ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ, સામાજિક આગેવાનો તેમજ વિવિધ NGO દ્વારા વારંવાર ઘણી ફરિયાદ કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
ઓલપાડ તાલુકા ના ઘણા ગામોમાં સવાર ના સમયે ૪ થી ૧૦ વાગ્યા સુધી પોતાના ઘર ની ખુલ્લી જગ્યાઓ પર ભઠ્ઠી મુકી દારૂ ગાળવામાં આવે છે અને જેનું વેચાણ સાંજ ના ૬ વાગ્યા પછીના સમય દરમ્યાન જાહેર સ્થળો પર જ દારૂ નું વેચાણ કરવામાં આવે છે, જેની વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરીયે છે,
હાલમાં અમદાવાદ અને બોટાદ જિલ્લાના ગામોમાં ૪૫ થી વધુ લોકોના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયેલ છે તથા અન્ય સારવાર હેઠળ છે. આવા બનાવો ઓલપાડ તાલુકામાં ન બને તે માટે લોકોના હિતમાં કામગીરી કરી તકેદારી રાખવામા આવે એવી અરજ પૂર્વક ની વિનંતી છે,
જો આપશ્રી તરફથી આ બાબત માં દારૂબંધી અંગે ગંભીરતા પૂર્વક કોઈ પગલા લેવામાં ન આવે તો ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાનાં લોકોના હિતમાં જનતા રેડ કરી ગાંધીચીધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે , જેની નોંધ લેવા વિનંતી છે.

જુઓ વિડીયો

ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ઓલપાડ તાલુકામાં નશાબંધી ના કાયદાના કડકરીતે અમલીકરણ કરવવા બાબતે ઓલપાડ તાલુકાના મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક,ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જયેંદ્રભાઈ દેસાઈ,સહકારી આગેવાન ગોવિંદભાઇ પટેલ,વરિષ્ઠ આગેવાન ડી.એલ.પટેલ,તનયભાઈ દેસાઈ,સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના મહિલા મોરચાના મહામંત્રી લક્ષ્મીબેન રાઠોડ,ધર્મેશભાઈ પટેલ,સહકારી આગેવાન નવીનભાઈ પટેલ,હસુભાઈ આહીર, ઓલપાડ યુથ કૉંગ્રેસ પ્રમુખ રમિજભાઈ મલિક,વિવેક પટેલ,મહમ્મદ ઘરાસિયા,કાંતિ ભાઈ એરથાણીયા,એડવોકેટ વિજય પટેલ,એડવોકેટ ઇરફાનભાઈ,અયુબ ભાઈ,એડવોકેટ ચેતન પટેલ,યોગેન્દ્ર પટેલ,કેતનભાઈ દેસાઈ સહિતના કૉંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.


સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

Related posts

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

કોણ છે આ વહીવટદારો જેને ગુજરાત રાજ્ય સરકારના દારૂબંધીના કાયદાનો ડર નથી, દેશી દારૂની સપ્લાય કરવાનો ખુલ્લો પરવાનો કોના આશીર્વાદથી? કૃષ્ણનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂના કટ્ટાઓની હેરાફેરીનો વિડીયો વાયરલ!

Phone: 9998685264.

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે વિચરતી, વિમુક્તિ જાતિ માટે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાયો! મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં છે એવી બધી યોજનાઓ લાગુ કરવા માંગ,
11 ટકા અનામત અને અલગથી મંત્રાલય આપવા રજુઆત કરાઈ

Phone: 9998685264.

Leave a Comment