Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Our Visitor

009762
Total Users : 9762
Total views : 11426
Who's Online : 0

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

આજ રોજ માંડવી તાલુકાના માંડવી સુગરના સભાસસદ આગેવાનોની મિટિંગ અરેઠ ગામે કરવામાં આવેલ હતી. તેમાં સરકારે ૨૬૦ કરોડ રૂપિયાની સુગર ફક્ત ૩૬ કરોડમાં વેચી દેતા અને સભાસદોને આ કારણે પાયમાલ થતાં આજથી લડતના મંડાણ શરૂ થયા છે.

આ બેઠકમાં કાંતિભાઈ પટેલે બોલતા જણાવાયું હતું કે આ માંડવી સુગર આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે. આમા પક્ષા પક્ષીઓ ભૂલી જઇ ખેડૂતનું કયા ભલું થાય એ જોવાની જરૂર છે,અને આ સુગર પાછી સભાસદો પાસે આવે એના માટે કાયદાકીય લડત માટે હાઇકકોર્ટ ,સુપ્રીમ કોર્ટ જવું પડે તો સભાસદો ખચકાવવાના નથી . આ સુગર અમે જવા દઇસુ નહીં.

જ્યારે સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકે જણાવ્યું કે સહકારી સુગર ફેક્ટરીઓ નાં સાચા માલિકો ખેડૂત સભાસદો છે. બોર્ડ ને તો ફક્ત વહીવટ કરવા માટે જ મુકાયા હતા . જો વેચવાની બાબત આવે તો સરકારે સુગરના સભાસદોની જનરલ મિટિંગ બોલાવવી પડે અને સભાસદો નક્કી કરે ત્યારે બાદ જ નિર્ણય નક્કી કરવામાં આવે . ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર બધી સહકારી સંસ્થાઓ પર પોતાના પક્ષના જ કાર્યકરોને મેન્ડેટ આપી વહીવટમાં બેસાડે છે તેમની અણઆવડત ને કારણે સહકારી માળખું તૂટી ગયું છે. આ આદિવાસી વિસ્તાર વર્ષોથી સહકારી માળખાઓ રોજગારી આપી રહ્યા છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી એનું નાશ કરવા જઇ રહ્યું છે. જે સુમુલ ડેરીમાં દૂધ જાય છે તેમાં સિહ ફાળો આદિવાસી સમાજનો છે,સહકારી આગેવાનો સારા નિષ્ઠાવાન હોય તો સહકારી સંસ્થા સારી રીતે ચાલે . યુ . પી. એ. ની મનમોહન સિંહજીની સરકારમા સહકારી સંસ્થાઓને કરોડો રૂપિયાની સહાય કરવામાં આવતી હતી. જો ભાજપ સરકાર વ્યારા અને કાંઠા સુગરને પેકેજ આપી શકે તો માંડવી સુગર ને કેમ નહીં ? માંડવી સુગર માટે પણ સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ અને સહકારી ધિરાણે ફરી શરૂ કરવી જોઈએ. આ માટે છોટે સરદારના નામ થી જાણીતા સહકારી આગેવાન ચૂપ થઈ ને કેમ બેઠા છે ? એ પણ સમજ પડતી નથી . છોટા સરદાર નું બિરુદ મળ્યું છે તો સરદાર જેવુ કામ કરો . ખેડૂતોને સાથે રાખી સહકારી માળખું બચાવવા આજ થી બધા ખેડૂત આગેવાનોએ લડતના મંડાળ કરી દીધા છે. હવે કલેકટર ,જીલ્લા રજિસ્ટ્રાર ,સરકાર અને પછી સુગરના ગેટ પર આંદોલન અને આવેદન પત્ર પણ આપશે અને સાથે કાયદાકીય લડત પણ આપવા ખેડૂતો જઇ રહ્યા છે.

આ પ્રસંગે સહકારી આગેવાન દર્શનભાઈ નાયક , કાંતિભાઈ પટેલ ,શંકભાઈ ચોધારી ,સુરેશભાઇ ચોધારી ,કમલેશભાઈ ચોધરી ,જીમી ગામીત ,ફારૂક ભાઈ ,ધીરુભાઈ ,વજીરભાઈ, દિલીપભાઇ મહિદા, કોસંબા થી અંદાજભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.


માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Related posts

રથયાત્રા દરમ્યાન અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે બેભાન થઈને ઢળી પડેલા 12 વર્ષના બાળકનો જીવ બચાવ્યો, બાળકને પોતાના ખબે ઉચકી એક કિલોમીટર સુધી દોટ લગાવી, 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી દેવદૂત બન્યો પોલીસ જવાન

Ritesh Parmar

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Ritesh Parmar

સુરત / કોણ છે આ લોકો જે છેલ્લા 30 વર્ષથી લાઈટબીલ નથી ભરતા! DGVCL ના અધિકારીઓ ચેકીંગમાં જાય તો 200 થી વધારે મહિલાઓ કરતી તેમનો પ્રતિકાર, આખરે સુરત ગ્રામ્ય SP અને મહુવા PI ની મદદ થી જટિલ પ્રશ્નનો સુખાકારી અંત આવ્યો, SP અને PI ને સન્માનિત કરાયા

Ritesh Parmar

Leave a Comment