Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ક્રાઈમ/ પત્નીએ કહ્યું સસરો મારા ઉપર બદદાનત રાખે છે, સગા દીકરાએ પોતાના પિતાનું કાસળ કાઢયું!હત્યારા પુત્રની ધરપકડ,

ક્રાઈમ/ પત્નીએ કહ્યું સસરો મારા ઉપર બદદાનત રાખે છે, સગા દીકરાએ પોતાના પિતાનું કાસળ કાઢયું!હત્યારા પુત્રની ધરપકડ,

Our Visitor

009742
Total Users : 9742
Total views : 11403
Who's Online : 0

ક્રાઈમ/ પત્નીએ કહ્યું સસરો મારા ઉપર બદદાનત રાખે છે, સગા દીકરાએ પોતાના પિતાનું કાસળ કાઢયું!હત્યારા પુત્રની ધરપકડ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં ફરી એકવાર સંબંધોને લાંછન
પુત્રએ જ પિતાની કરી હત્યા પિતા પત્નીની છેડતી કરતા હોવાનો આક્ષેપ અમદાવાદમાં ફરી એકવાર સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. અમદાવાદના સરદારનગરમાં પુત્રએ પિતાની હત્યા કરી છે. અને પિતાની હત્યા પાછળનું કારણ પોતાની પત્નીની છેડતી કરી હોવાની પુત્રને શંકા હતી.

આવા આક્ષેપ સાથે પુત્રએ દસ્તો મોઢાના ભાગે મારતા પિતાનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે આરોપી પુત્ર અંકુશની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મૃતક બિરજુભાઈ પર છેડતીના લગાવેલા આરોપને તેમનો નાનો દીકરો ખોટા કહે છે. પરંતુ બિરજુભાઈની મોટી દીકરી સ્નેહાએ જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને પિતા ભાભીની છેડતી કરી રહ્યા હોવાનું મેસેજ લખાવ્યો હતો.

આ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિરજુ ભાઈ ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્ર અંકુશની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે, મૃતક બિરજુભાઈને દારૂ પીવાની કુટેવ હતી. એક દીકરો પિતાના ચારિત્ર્ય પર શકા કરીને હત્યા કરે છે. જ્યારે બીજો પુત્ર પિતાને સજ્જન ગણાવે છે. પરંતુ એક દીકરીએ પિતા વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસને જાણ કરતા હાલમાં પોલીસે છેડતીની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.


ક્રાઈમ/ પત્નીએ કહ્યું સસરો મારા ઉપર બદદાનત રાખે છે, સગા દીકરાએ પોતાના પિતાનું કાસળ કાઢયું!હત્યારા પુત્રની ધરપકડ,

Related posts

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

Ritesh Parmar

ઓઢવ ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી! ટ્રાફિક પોલીસે વાહનચાલક સાથે કર્યું અસભ્ય વર્તન, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

Ritesh Parmar

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

Ritesh Parmar

Leave a Comment