Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતી ફિલ્મના ભીષ્મપિતામહ અને રામાયણ સિરિયલના “રાવણ “લંકેશ એવા સુપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

ગુજરાતી ફિલ્મના ભીષ્મપિતામહ અને રામાયણ સિરિયલના “રાવણ “લંકેશ એવા સુપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

Our Visitor

009742
Total Users : 9742
Total views : 11403
Who's Online : 0

ગુજરાતી ફિલ્મના ભીષ્મપિતામહ અને રામાયણ સિરિયલના “રાવણ “લંકેશ એવા સુપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતી ફિલ્મો અને નાટકોના પીઢ અભિનેતા તથા સુપ્રસિદ્વ અને લોકપ્રિય રામાયણ સિરિયલમાં રાવણની જીવંત ભૂમિકા ભજવાનારા અરવિંદ ત્રિવેદીનું આજે મોડી રાત્રે નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ જગતે એક મોટી જણસ ગુમાવી છે અને ફિલ્મ જગતમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે.તેઓ 82 વર્ષનાં હતા.

રામાયણ સિરિયલમાં અરવિંદ ત્રિવેદીએ લંકેશ-રાવણનું પાત્ર ભજવ્યું હતું અને આ પાત્રમાં તેમની સંવાદ તથા અભિનયની લાવણ્યતા સમગ્ર દેશ જ નહીં પણ વિદેશમાં પણ લોકપ્રિય થઈ હતી.
અરવિંદ ત્રિવેદી ભાજપમાંથી સાબરકાંઠા સીટનાં સાંસદ પણ રહી ચૂક્યા હતા. લાંબા સમયથી તેઓ માંદગીવશ હતા અને મલ્ટીપલ ઓર્ગન ફેઈલરના કારણે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

અરવિંદ ત્રિવેદીનોજન્મ 8 નવેમ્બર 1938માં થયો હતો. ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીની સાથે 40 વર્ષથી ગુજરાતી સિનેમામાં યોગદાન આપતા રહ્યા હતા.

અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938 ના રોજ ઈન્દોર (હાલ મધ્યપ્રદેશ) માં જેઠાલાલ ત્રિવેદીના ઘરે થયો હતો. તેમણે બોમ્બે (હવે મુંબઈ) માં ભવન્સ કોલેજમાં ઇન્ટરમીડિયેટ સ્તર સુધી અભ્યાસ કર્યો. તેમણે 4 જૂન 1966 ના રોજ નલિની સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ પુત્રીઓ હતી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ અભિનેતા હતા.

તેઓ રામાનંદ સાગરની ટેલિવિઝન શ્રેણી રામાયણમાં રાવણની ભૂમિકા માટે સૌથી પ્રખ્યાત હતા. તેમણે વિક્રમ ઔર વેતાલ સહિત અનેક ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો. ફિલ્મ દેશ રે જોયા દાદા, પરદેશ જોયા, જેમાં દાદાજીની ભૂમિકા કરી હતી, તેમણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને આ ભૂમિકા માટે તેમને હંમેશ યાદ કરવામાં આવશે.

અરવિંદત્રિવેદીએ હિન્દી અને ગુજરાતી સહિત 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે અનેક સામાજિક અને પૌરાણિક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

2002 માં તેમને સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નામ આપવામાં આવ્યું હતું. અરવિંદ ત્રિવેદીએ 20 જુલાઈ 2002 થી 16 ઓક્ટોબર 2003 સુધી સીબીએફસીના વડા તરીકે કામ કર્યું હતું.

1991 માં અરવિંદ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે સાબરકાંઠા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી સાંસદ રહ્યા હતા.

અરવિંદ ત્રિવેદીએ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે સાત પુરસ્કારો જીત્યા હતા.


ગુજરાતી ફિલ્મના ભીષ્મપિતામહ અને રામાયણ સિરિયલના “રાવણ “લંકેશ એવા સુપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

Related posts

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,
કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

Ritesh Parmar

🎭 શ્રદ્ધાની આડમાં પાંખડ! ભુવાજીના રૂપમાં શૈતાન બની આચર્યું દુષ્કર્મ, સુરતની ‘યોગ હોટલ’નો એ કાળો અંધારપટ

Ritesh Parmar

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Ritesh Parmar

Leave a Comment